સંબંધિત સમાચાર
- મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યો
- PM Modi Speech in Ayodhya - 'રામ આગ નહી ઉર્જા છે... રામ ફક્ત આપણા નહી, બધાના છે પીએમ મોદીના સંબોધનની મોટી વાતો
- Ramlalla - 84 સેકન્ડનો અવિસ્મરણીય VIDEO
- Ram Mandir Pran Pratishtha LIVE: "સિયાવર રામચંદ્ર કી જય... આપણા રામલલા હવે ટેંટમાં નહી રહે, અયોધ્યામાં શરૂ થયુ પીએમ મોદીનુ સંબોધન
- Photo Video- Ayodhya Ram Mandir Live અયોધ્યામાં બિરાજ્યાં પ્રભુ શ્રી રામ
Ram Mandir Darshan: આજથી રામલલાના દર્શન, ત્રણવાર થશે આરતી, કડકડતી શિયાળામાં મંદિર બહાર ભક્તોની ભારે ભીડ.
Ram Mandir - આ સવાર દેશ માટે ખાસ છે. તે દરેક રામ ભક્ત માટે ખાસ છે, કારણ કે આજે પહેલી સવાર છે જ્યારે રામ લલ્લા ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આજે પહેલી સવાર છે જ્યારે રામ ભક્તો મંદિરમાં જઈને તેમના ઈષ્ટદેવની પૂજા કરી શકશે. હાલમાં રામલલાના દર્શન કરવા માટે ભક્તોની મોટી ભીડ મંદિરમાં ઉમટી છે. હાલમાં અયોધ્યામાં તાપમાન 6 ડિગ્રી છે. પરંતુ કડકડતી ઠંડી છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. બધા રામ રંગમાં રંગાયેલા છે.
સોમવાર (22 જાન્યુઆરી)ના શુભ મુહૂર્તમાં રામ લલ્લાનો અભિષેક સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂર્ણ થતાં જ રામ ભક્તોની લાંબી રાહનો અંત આવ્યો અને આજથી દરેક સામાન્ય ભક્ત રામ લલ્લાના દર્શન કરી શકશે. રામલલાના દર્શન સવારે 8 થી 10 વાગ્યા સુધી રહેશે. દર્શનનો સમય એવો છે કે લોકોને સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રામલલાના દર્શન કરવાનો મોકો મળશે. આ પછી બપોરે 3 વાગ્યાથી 10 વાગ્યા સુધી લોકો રામલલાના દર્શન કરી શકશે.
આજથી રામલલાના દર્શન, ત્રણવાર થશે આરતી, કડકડતી શિયાળામાં મંદિર બહાર ભક્તોની ભારે ભીડ.
#WATCH | Uttar Pradesh: People break through security at Shri Ram Janmabhoomi Temple in Ayodhya.
— ANI (@ANI) January 23, 2024
The Pran Pratishtha ceremony was done yesterday at Shri Ram Janmabhoomi Temple. pic.twitter.com/vYEANsXQkP
