શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 જૂન 2019 (10:05 IST)

Top News : 'વાયુ' વાવાઝોડું 48 કલાકમાં પરત ગુજરાત તરફ આવી શકે છે

વાયુ વાવાઝોડું ફરીથી પોતાનો માર્ગ બદલીને ગુજરાતના કિનારે ત્રાટકે એવી શક્યતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ રજૂ કરી હતી.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ.રાજીવે જણાવ્યું, "વાયુ 16 જૂને પોતાનો માર્ગ બદલીને 17-18 જૂનના રોજ ફરી કચ્છના કિનારે આવે તેવી શક્યતા છે."
તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડાની તીવ્રતા ઘટવાની શક્યતા છે. આ વાવાઝોડું 'ડીપ ડિપ્રેશન' તરીકે કચ્છના કિનારા સાથે ટકરાય તેવી શક્યતા છે. ગુજરાત સરકારે પણ વાયુનો માર્ગ બદલાઈ શકે એવી ચેતવણી જાહેર કરી દીધી છે.
બુધવારે વાયુ ગુજરાતના કિનારા પરથી પસાર થવાનું હતું, પરંતુ દિશઆ બદલાઈ જતા તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું