કપૂર ખાનદાનની લાડકવાયીની દર્દભર્યુ લગ્નજીવન, પતિએ સાસુને જ થપ્પડ મારવાનુ કહ્યુ, હનીમૂન પર શૉક્ડ થઈ ગઈ હતી અભિનેત્રી ?
કપૂર પરિવારની પ્રિય, જેણે ઘણા જૂના નિયમો તોડીને અભિનયમાં પ્રવેશ કર્યો. એવું કહેવામાં આવતું હતું કે કપૂર પરિવારમાં પુત્રવધૂઓને કામ કરવાની મંજૂરી નહોતી. ફક્ત આ નિયમને કારણે, શમ્મી કપૂર અને મુમતાઝના લગ્ન થઈ શક્યા નહીં. કારણ કે મુમતાઝે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે લગ્ન માટે પોતાનુ કરિયર દાવ પર નહીં લગાવે. આ કારણોસર, તેમના સંબંધો તૂટી ગયા.
આજે આપણે જે કપૂર પરિવારની જે લાડકવાયીની વાત કરી રહ્યા છીએ તે કરિશ્મા કપૂર છે. જેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને ઘણી બધી ફિલ્મો આપી. તેણે ઘણા સુપરસ્ટાર સાથે સુપરહિટ ફિલ્મો આપી અને પોતાની અભિનય કુશળતા સાબિત કરી. લોકો એમ પણ કહેવા માટે મજબૂર થયા કે કરિશ્મા પણ કપૂર પરિવારના બાકીના સુપરસ્ટારની જેમ એક દમદાર અભિનેત્રી છે. પરંતુ રણધીર કપૂર અને બબીતાની પુત્રી કરિશ્મા કપૂરનુ લગ્ન દર્દનાક હતુ.
કરિશ્મા કપૂર એક સમયે અમિતાભ બચ્ચનના પરિવાર સાથે જોડાવાની હતી. જયા બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથેના સંબંધો પણ કન્ફર્મ થયા હતા પરંતુ કેટલાક વિવાદોને કારણે અભિષેક અને કરિશ્માની સગાઈ તૂટી ગઈ. આ પછી, ઉદ્યોગપતિ સંજય કપૂર કરિશ્મા કપૂરના જીવનમાં આવ્યા અને બંનેના ભવ્ય રીતે લગ્ન થયા.
સંજય કપૂર અને કરિશ્મા કપૂરનો સંબંધ વર્ષ 2003 માં બંધાયો હતો અને વર્ષ 2016 માં, સંબંધ તૂટી ગયો. બંને છૂટાછેડા માટે કોર્ટમાં પહોંચ્યા. માત્ર સંબંધ તૂટ્યો જ નહીં, પરંતુ ઘણી બદનામી પણ થઈ. કરિશ્મા કપૂરે તેના પતિ અને સાસરિયાઓ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં ઘરેલુ હિંસાનો પણ સમાવેશ થાય છે. જેમાંથી સૌથી મોટો આરોપ એ હતો કે કરિશ્મા કપૂરને તેના પતિ સંજય કપૂરે તેના લગ્નની રાત્રે તેના મિત્રો સાથે સૂવા માટે કહ્યું હતું.
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, કરિશ્મા કપૂરની છૂટાછેડા અરજીમાં, તેણે સંજય કપૂર પર આવા ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાંથી સૌથી ચોંકાવનારો આરોપ એ હતો કે ગર્ભાવસ્થા પછી, જ્યારે તે ડ્રેસમાં ફિટ થઈ શકી નહી તો સંજયે તેની સાસુને તેને થપ્પડ મારવાનું કહ્યું હતું.
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કરિશ્મા કપૂરે દાવો કર્યો હતો કે સંજય કપૂર દિલ્હીમાં બીજી મહિલા સાથે રહે છે અને તેમને એક બાળક પણ છે. આ દરમિયાન, કરીના કપૂરની બહેન કરિશ્માએ કહ્યું હતું કે સંજય કપૂર અને તેની સાસુ પણ દહેજ માટે તેને હેરાન કરતા હતા. તેણીએ કહ્યું, 'હનીમૂન અને સુહાગરાત દરમિયાન, સંજયે મને તેના મિત્રો સાથે સૂવા માટે દબાણ કર્યું.'
કરિશ્મા કપૂરે બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ કહ્યું હતું કે વર્ષ 2010 માં, તેણીએ તેના લગ્ન બચાવવા માટે યુકેની ટ્રીપ પ્લાન કરી હતી. તેણીએ આ યાત્રાનું આયોજન આ આશા સાથે કર્યું હતું કે કદાચ તેના લગ્ન બચી શકે. પરંતુ વેકેશનમાં તેની સાથે એક ચોંકાવનારી ઘટના બની. કરિશ્માએ કહ્યું, 'સંજય પ્રિન્સ વિલિયમ સાથે પોલો રમવા માટે મને મારા ચાર મહિનાના બીમાર પુત્ર સાથે છોડી ગયો. તે આખી રાત બહાર રહેતો હતો અને હું નાના બાળક સાથે એકલી હતી. આ વાતથી હુ ભાંગી પડી હતી.'
કરિશ્મા કપૂરે દાવો કર્યો હતો કે, 'જ્યારે તે સંજય કપૂર સાથે હનીમૂન પર ગઈ હતી, ત્યારે તેણે તેને કહ્યું હતું કે તે સાલા સાહેબ સાથે મારી નેટવર્થ અનુસાર મારી કિંમત નક્કી કરી રહ્યો છે.'