સંબંધિત સમાચાર
- કોરોનાની ચપેટમાં આવ્યો શિલ્પા શેટ્ટીનો પરિવાર કહ્યુ પાછલા 10 દિવસ
- રૂપાણી સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી મોટી વયના લોકોને ફ્રીમાં મળશે વેક્સીન
- ખેડૂત આંદોલન પર વિવાદિત ટ્વીટ કરનારી ગ્રેટા થનબર્ગએ અત્યારે ભારતમાં કોરોરોનાને લઈને શું કહ્યુ
- કોરોના કહેર- 24 કલાકમાં 3.49 લાખ કેસ, 2760 લોકોએ જીવ ગુમાવ્યો
- કોરોનાની બીજી લહેર વૃદ્ધો જ નહી યુવાઓ પર પણ ભારે પડી રહી છે જાણો સંક્રમણના લક્ષણ
દેશમાં 5 મી વાર એક દિવસમાં 4 લાખથી વધુ કોરોના કેસો, તપાસ ઘટી કેસ વધી રહ્યા છે, આ આંકડા ડરાવી રહ્યા છે
કોરોનાની બીજી લહેરએ ચિંતા વધારી નાખી છે. પાંચમી વખત દેશમાં ચાર લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે અને આ સતત ચોથી વખત છે જ્યારે ભારતમાં કોરોના કેસ ચાર લાખથી ઉપર આવી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નવીનતમ આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન રેકોર્ડ 4133 લોકોના મોત થયા છે અને આ સમયગાળા દરમિયાન 409,300 નવા કેસ નોંધાયા છે. આ રીતે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,42,398 લોકોનાં ચેપને કારણે મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 2,22,95,911 લોકોને ચેપ લાગ્યો છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં દરરોજ એક લાખથી વધુ સક્રિય દર્દીઓમાં વધારો થાય છે. વધતા જતા કેસો વચ્ચે સાજા થતા દર્દીઓના દરમાં થયેલા ઘટાડાને કારણે કટોકટી વધુ વકરી છે. દેશમાં કોરોનાથી સાજા થવાની દર ઘટીને 81.90 ટકા રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, 3,86,207 દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા. તે જ સમયે, 1 એપ્રિલના રોજ દર્દીઓની સાજા થવાની દર 93.89 ટકા હતો.
