મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 9 જૂન 2023 (10:09 IST)

ટીમ ઈન્ડિયાને WTC ફાઈનલમાં હારનો ખતરો, પાંચ તસવીરોથી સમજો બીજા દિવસની રમત

cricket
cricket
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં આજે બીજા દિવસની રમત રમાઈ હતી. આજની રમત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે, જ્યારે ટીમ ઈન્ડિયા પર બીજા દિવસથી જ WTC ફાઈનલમાં હારનો ખતરો છે. ચાલો આજની રમતને પાંચ ચિત્રો દ્વારા સમજીએ
 
ટીમ ઈન્ડિયાના બોલરોની વાપસી સાથે બીજા દિવસની રમત શરૂ થઈ હતી. મેચના પહેલા દિવસે સ્મિથ અને ટ્રેવિસ હેડે જે પ્રકારની બેટિંગ કરી હતી. ત્યાંથી જોઈને લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં સરળતાથી 550થી વધુ રન બનાવી લેશે, પરંતુ એવું ન થયું, આ બંનેની વિકેટ સાથે ભારતીય બોલરોએ ટીમ ઈન્ડિયાને કમબેક કર્યું અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે  327 રન બનાવ્યા છતા બીજા દિવસે 469 રન પર રોકી દીધા. 
 
ટીમ ઈન્ડિયાના કમબેકમાં મોહમ્મદ સિરાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે દિવસની પ્રથમ વિકેટ ટ્રેવિસ હેડના રૂપમાં લીધી હતી. સિરાજે ભારત માટે આ મેચમાં કુલ 4 વિકેટ લીધી હતી. તેણે ઉસ્માન ખ્વાજા, પેટ કમિન્સ અને નાથન લિયોનને આઉટ કર્યા હતા.
team india
team india
ઓવલની પીચને જોતા ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને મોટો સ્કોર કરવાની સારી તક હતી, પરંતુ ભારતનો ટોપ ઓર્ડર ફરી એકવાર કંઈ કરી શક્યો નહીં. રોહિત શર્મા (15), શુભમન ગિલ (13), ચેતેશ્વર પુજારા (14) અને વિરાટ કોહલી (14) 20 રન સુધી પહોંચી શક્યા ન હતા. આ બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ એક સમયે 71 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
 
જાડેજા અને રહાણેએ સંભાળી ઈનિંગ - ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણેએ ટીમ ઈન્ડિયાની ઈનિંગને સંભાળી અને ત્યાંથી અડધી સદીની ભાગીદારી કરી. જોકે જાડેજા 48 રન બનાવીને આઉટ થયો હતો.
 
બીજા દિવસની રમત બાદ ભારતીય ટીમ સારી પોઝીશન પર નથી. રહાણે અને કેએસ ભરત અત્યારે ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા છે. ભારતીય ટીમ લીડ લેવાથી હજુ 318 રન દૂર છે. ફેન્સની આશા હવે રહાણે અને કેએસ ભરત પર ટકેલી છે.