સંબંધિત સમાચાર
- IND vs USA: ભારતની જીત બની ઐતિહાસિક, પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ તોડી કર્યો ધ્વસ્ત
- PAK vs NED: જીતેલી મેચ હારી ગયુ નીધરલેંડ, આ 6 બોલે છીનવી લીધી જીત, અંતિમ સમયે આ રીતે પલટાઈ ગઈ મેચ
- T20 વર્લ્ડ કપ 2026 પહેલા ફેન્સને લાગ્યો વધુ એક તગડો ઝટકો, આ ખેલાડી સમગ્ર ટુર્નામેંટમાંથી બહાર
- IND vs PAK: શું પાકિસ્તાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે રમશે? પાકિસ્તાની PM એ આપ્યું નિવેદન
- 20 World Cup 2026: ભારત સાથે નહી રમે તો આવુ હશે પાકિસ્તાનનુ શેડ્યુલ, આ ટીમો સાથે થશે મુકાબલો
IND vs PAK મેચનો બહિષ્કાર ફક્ત એક નાટક ? ICC ની સાથે મીટિંગમાં પાકિસ્તાને મુકી આ 3 મોટી ડિમાંડ, સૌથી પહેલી હેંડશેક....
IND vs PAK, T20 World Cup 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં થનારી T20 વર્લ્ડ કપ મુકાબલાને લઈને રજુ થયેલા વિવાદ પર સમાધાનની કોશિશ તેજ થઈ ગઈ છે. આ કડીમાં 8 ફેબ્રુઆરીની મોડી સાંજે લાહોરમાં ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (ICC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વરિષ્ઠ અધિકારીઓની એક મહત્વની મીટિંગ થઈ. PCB ના નિમંત્રણ પર બાંગ્લાદેશે પણ આ મીટિંગમાં ભાગ લીધો. આ મીટિંગમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામે પોતાના દેશનુ પ્રતિનિધિત્વ કર્યુ. જ્યારે કે ICC ના ડિપ્ટી ચેયરમેન ઈમરાન ખ્વાજા લાહોર પહોચ્યા. મીટિંગમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને ગતિરોધ પર ખૂબ મોટે સુધી ચર્ચા થઈ.
PCB એ મુકી 3 ડિમાંડ
ક્રિકબજની રિપોર્ટ મુજબ PCB એ આ વાતચીતમાં ICC પાસેથી રેવન્યુમાં વધુ ભાગ, ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટની પુનઃ શરૂઆત, અને મેચ પછી હૈંડશેકના પ્રોટોકૉલના પાલન જેવી માંગ મુકવામાં આવી છે. બીજી બાજુ વર્લ્ડકપમાંથી બહાર કરવામાં આવેલ બાંગ્લાદેશ તરફથી કોઈ વળતરની માંગ થઈ શકે છે. તેનાથી એ વાત તો સ્પષ્ટ છે કે પાકિસ્તાનની ટીમ ભારત સાથે મેચ તો રમવા માંગે છે પણ પોતાની શરત પર. જો કે દ્વિપક્ષીય શ્રેણી ICC ના અધિકાર ક્ષેત્રમાં નથી આવતી અને હેંડશેક જેવી પરંપરાઓ અનિવાર્ય નથી હોતી.
વિવાદની અસલી જડ બાંગ્લાદેશ
આ સંમ્પૂર્ણ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો બતાવીને ભારતમાં પોતાની T20 વર્લ્ડ કપ મેચ રમવાની ના પાડી હતી અને વેન્યુ બદલવાની માંગ મુકી હતી. ICC એ આ વિનંતીને નકારી કાઢી, જેના પછી બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું. ત્યારબાદ, બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને ભારત સામે રમવાનો ઇનકાર કર્યો અને કોલંબોમાં મેચનો બહિષ્કાર કર્યો, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી.
શ્રીલંકાએ નારાજગી વ્યક્ત કરી
શ્રીલંકાએ પણ આ સંભવિત બહિષ્કાર અંગે કડક વલણ અપનાવ્યું છે. શ્રીલંકાએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચ રદ થવાથી દેશના પર્યટન અને આતિથ્ય ક્ષેત્રોને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. વધુમાં, શ્રીલંકાએ પાકિસ્તાનને તે સમયની યાદ અપાવી જ્યારે તેને પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો અને શ્રીલંકાની ક્રિકેટ ટીમે પાકિસ્તાનમાં ક્રિકેટ પરત લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
