સંબંધિત સમાચાર
- Ahmedabad - સટ્ટામાં લાખો રૂપિયા હારી જતાં પતિએ પત્નીને દેહવ્યાપારમાં ધકેલી, પોર્ન સાઈટ પર ફોટો અપલોડ કર્યા
- Vapi Murder Case - વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખની હત્યામાં પાંચ આરોપીની ધરપકડ
- Sakshi Murder: સાહિલની કબૂલાત, કહ્યું શા માટે સાક્ષીને છરી વડે ઘા અને પથ્થરથી કચડી નાખ્યો
- Surat News - હવસખોર પિતરાઈ ભાઈએ બહેનને ગર્ભવતી બનાવી, બાળકી જન્મતાં પિતા અને ફોઈએ જંગલમાં જીવતી દાટી
- Junagadh Crime News - પ્રેમી સાથે જોઈ ગયેલી માતાને દીકરીએ જ મોતને ઘાટ ઉતારી, જાણો કેવી રીતે ખેલાયો ખૂની ખેલ
રાજકોટ: 2 બાળકોની હત્યા બાદ માતાનો આપઘાત
રાજકોટમાં ચકચારી ઘટના આવી સામે છે. જનેતાએ પોતાના જ બે બાળકોની હત્યા કરી અને બાદમાં પોતે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં એક જનેતાએ પહેલા પોતાના બાળકોની હત્યા કર્યા બાદ પોતે પાણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરકંકાસને કારણે પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના એસ.ટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં એક ચકચારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ આંબેડકર નગરમાં રહેતી મનીષાબેન પરમાર દ્વારા પોતાના બંને બાળકોની હત્યા કરવામાં આવી હતી. આ તરફ બંને બાળકોની હત્યા બાદ ખુદ મનીષાબેને પણ પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવી દીધું હતું.
બાદમાં પોતે વીડિયો બનાવી ફેસબુક સ્ટેટ્સ પર અપલોડ કરી આત્મહત્યા કરી છે. જેમાં મહિલાએ પતિ સાગરના ત્રાસથી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરતા હાલ સમગ્ર મામલે માલવીયાનગર પોલીસે પતિ સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

