1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
  4. These places must be visited on the way to Mathura Vrindavan

મથુરા વૃંદાવન જતા પર જરૂર જવું જોઈએ આ જગ્યાઓ

MATHURA
Mathura Vrindavan- કાન્હાની પાવન ધરતી મથુરા વૃંદાવનના દર્શન કરવા જઈ રહ્યા છો તો વેબદુનિયા ગુજરાતી તમને જણાવીએ છે કે ત્યાંની કેટલીક ખાસ જગ્યાઓ વિશે... 
 
આમતો કૃષ્ણના ઘણા મંદિર છે આખા દેશમાં પણ મથુરા વૃંદાવનની વાત જુદી છે. અહીં વર્ષ ભર પર્યટકનો અવર-જવર લાગ્યું જ રહે છે. તેથી જો તમે પણ અહીં જવાના વિચારી રહ્યા છો તો કેટલીક ખાસ જગ્યા વિશે અમે તમને જણાવી રહ્યા છે. જ્યાં મથુરા વૃંદાવન જતા પર જરૂર જવું જોઈએ. 
 
કુસુમ સરોવર
આ મથુરામાં ગોવર્ધનથી આશરે બે કિલોમીટરની દૂરી પર રાધાકુંડની પાસે છે. તેની સાથે ઘણી પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. તેમાંથી એક છે રાધા કૃષ્ણની વાર્તા. જણાવીએ છે કે કાન્હા શ્રીરાધાજીથી આ સ્થાને છુપી-છુપીને મળતા હતા. આ જગ્યા પર હવે સરોવર છે. જ્યાં પર્યટક સ્નાન કરે છે. તે સિવાય અહીં  આસપાસ તમને ઘણા કંદબના ઝાડ નજર આવશે, જે કાન્હાને ખૂબ પસંદ છે. તે સિવાય કુસુમ સરોવર પર દર સાંજે થતી આરતી પણ ખાસ હોય છે. 
 
કંસ કિલ્લા 
ભગવાન શ્રીકૃષ્ણના મામા કંસનો કિલા પણ પર્યટકની પ્રથમ પસંદ છે. આ હિંદુ અને મુગલ આર્કિટેકચરિંગનો અનેરું નમૂનો છે. તે સિવાય આ પણ કહેવાય છે કે જ્યારે યમુનામાં પૂર આવી હતી તો આ કિલાએ મથુરાના લોકોને તે ત્રાસદીથી બચાવ્યું હતું. કંસ કિલાએ હવે જૂના કિલા કે મથુરાના જૂના કિલા નામથી પણ ઓળખાય છે. તેની પાસે જ ઘણા પ્રસિદ્ધ વાસુદેવ અને બ્રહ્મા ઘાટ પણ સ્થિત છે, તો જ્યારે પણ મથુરા જાઓ ત્યાં જવું ન ભૂલવું. 
 
કેસી ઘાટ 
યમુના નદીના કાંઠે વસેલું કેસી ઘાટ વૃંદાવનના સૌથી આકર્ષક પર્યટન સ્થળ છે. માન્યતા છે કે પ્રભુ શ્રીકૃષ્ણએ આ સ્થાને કેસી નામના રાક્ષસીનો વધ કર્યું હતું. ત્યારબાદ આ હગ્યા પર સ્નાન કર્યું હતું. ત્યારબાદથી આ જગ્યાનો નામ કેસી ઘાટ પડ્યું. આ જ કારણે પર્યટક અને સાધક આ પવિત્ર સ્થાન પર સ્નાન કરીને કાન્હાથી બધા પાપથી મુક્તિની પ્રાર્થના કરે છે. 
 
જામા મસ્જિદ 
મથુરા વૃંદાવન જતા પર માત્ર કાન્હા, યમુના નદી કે પછી હિંદુઓના મંદિર જોવાને નહી મળતા પણ તમે જામા મસ્જિદના પણ દીદાર કરી શકો છો. તેનો નિર્માણ Abd-un-Khan એ 1662માં કરાવ્યું હતું. જણાવીએ કે તે મુગલ બાદશાજ ઔરંગજેબના અહીં ફોજદાર હતા. આ પ્રસિદ્ધ કૃષ્ણ જન્મભૂમિ મંદિરના પાસે જ સ્થિત છે. આ મસ્જિદ પર થઈ કળાકારી લોકોના દિલો પર એક જુદો જ છાપ મૂકે છે. 
 
આગળનો લેખ
ગુજરાતી જોક્સ- ચિન્ટુને મચ્છર કરડ્યો