સંબંધિત સમાચાર
- સુરત ડાયમંડ બોર્સ: “કોઈપણને ઈર્ષ્યા થાય તેવું બિલ્ડીંગ બનાવ્યું છે” – હર્ષ સંઘવી
- Surat Diamond Bourse : પેન્ટાગોનને પાછળ છોડી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ બની
- શેરબજાર ફરી કડાકો બોલ્યો, સેન્સેક્સ 4 સત્રમાં 2,700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 11 લાખ કરોડ ગુમાવ્યા
- Gold Silver Rate- શું સોના અને ચાંદીના ભાવ વધશે? આજના ભાવ તપાસો
- ભારત માં તેલ નથી, સંયમથી કરો પાવર-ડીજલનો ઉપયોગ, પીએમ મોદી ને ક્યોની તે અપિલ?
વડાપ્રધાનની 'નો ગોલ્ડ' અપીલથી જ્વેલરી ઉદ્યોગમાં ફફડાટ: સુરતના વેપારીઓએ વ્યક્ત કરી ચિંતા
surat gold market
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વધતી જતી આયાત ખાધને કાબૂમાં લેવા માટે નાગરિકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા નમ્ર અપીલ કરી છે. ભારત માટે સોનું અને ક્રૂડની આયાત વિદેશી હૂંડિયામણ પર સૌથી મોટું ભારણ ઉભું કરે છે, જેના કારણે રિઝર્વના આંકડાઓમાં ફેરફાર થાય છે. સુરતના જ્વેલર્સ વડાપ્રધાનની આ દેશહિતની ચિંતા સાથે સહમત છે, પરંતુ આ નિર્ણયથી ઉદ્યોગ પર પડનારી ગંભીર અસરોને લઈને ચિંતિત પણ જોવા મળી રહ્યા છે.
વેપારમાં 40% થી 80% સુધીના જંગી ઘટાડાની ભીતિ
ઝવેરીઓની વર્તમાન આર્થિક સ્થિતિ અંગે દીપક ચોકસીએ ચિંતાજનક વિગતો રજૂ કરી છે. સોનાના ભાવમાં સતત વધારાને કારણે ઝવેરીઓનો બિઝનેસ પહેલેથી જ 40% જેટલો ડાઉન છે. જો વડાપ્રધાનની આ અપીલને કારણે લોકો ખરીદી બંધ કરશે, તો ટર્નઓવરમાં વધુ 40% નો ઘટાડો થઈ શકે છે. આમ, જ્વેલરી ઉદ્યોગ માત્ર 20% ટર્નઓવર પર આવી જવાની આશંકા છે, જે આ ક્ષેત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
6 લાખ કારીગરોની આજીવિકા પર જોખમ
સુરત માત્ર હીરા ઉદ્યોગ માટે જ નહીં, પરંતુ જ્વેલરી મેન્યુફેક્ચરિંગના હબ તરીકે પણ જાણીતું છે. અહીં અંદાજે 2000 થી 2500 જેટલી પેઢીઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે, જેમાં 5 થી 6 લાખ કારીગરો પોતાની રોજીરોટી મેળવે છે. વેપારીઓની મુખ્ય ચિંતા એ છે કે જો માંગ ઘટશે તો આ હસ્તકલા અને કારીગરી સાથે જોડાયેલા લાખો લોકો બેરોજગાર થઈ શકે છે. ઉદ્યોગ માટે કારીગરોને સતત કામ પૂરું પાડવું એ અત્યારે સૌથી મોટો પડકાર છે.
જૂના સોનાને ચલણમાં લાવવાની યોજનાની માંગ
ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક પ્રસંગોમાં સોના-ચાંદીનું અતૂટ મહત્વ છે. આ પરંપરાને જાળવી રાખવા અને બજારમાં રોકડ પ્રવાહ જાળવવા માટે જ્વેલર્સે સરકારને સૂચન કર્યું છે. જો સરકાર 'જૂના સોનાને ચલણમાં લાવવાની' કોઈ ચોક્કસ યોજના રજૂ કરે, તો નવું સોનું આયાત કર્યા વગર બજારમાં સોનું ફરતું થશે. આનાથી લોકો પોતાના પ્રસંગો ઉજવી શકશે અને કારીગરોને પણ પૂરતું કામ મળી રહેશે.
આયાત ખાધ અને સરકારની આગામી વ્યૂહરચના
ભારતમાં ગોલ્ડ અને ક્રૂડની આયાત વિદેશી મુદ્રા ભંડાર પર સીધી અસર કરે છે, જેના કારણે વેપાર ખાધ વધતી રહે છે. આ પરિસ્થિતિમાં વડાપ્રધાનની ચિંતા તદ્દન વ્યાજબી છે કારણ કે તે દેશના લાંબાગાળાના આર્થિક હિત સાથે જોડાયેલી છે. જોકે, હવે જ્વેલરી ઉદ્યોગની નજર સરકાર પર છે કે આ અપીલની સાથે ઝવેરીઓ અને કારીગરોના હિતમાં કોઈ નવી રાહત યોજના કે પ્રોત્સાહક સ્કીમ જાહેર કરવામાં આવે છે કે નહીં.
