સંબંધિત સમાચાર
- પુષ્યનક્ષત્રના દિવસે ગુજરાતીઓએ 200 કિલો સોનું અને 400 કિલો ચાંદી ખરીદી
- બેંક કર્મચારીઓની Strike ને કારણે બે દિવસ Bank રહેશે બંધ
- ગુજરાત રાજ્ય લોક સેવા આયોગમાં સરકારી નોકરીની તક, વૈજ્ઞાનિકોના પદ પર કરો એપ્લાય
- શિક્ષકે ફેસબુક પર સ્ટુડેંટ્સને કહ્યુ 'બંદર" અને શાળાએ લીધી આ એક્શન
- 2000 રૂપિયાની નોટનુ છાપકામ ન્યૂનતમ સ્તર પર, શુ બંધ થશે નોટ !
Today's Gold Rate - સોનાના ભાવમાં તેજી અને ચાંદીની કિમંત ઘટી, જાણો શુ છે આજનો ભાવ
સોનાના ભાવમાં એકવાર ફરી તેજી આવી રહી છે. બુધવારે દિલ્હી શરાફા બજારમાં સોનાનો ભાવ 155 રૂપિયાથી વધીને 32,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. અંદાજ લગાવાય રહ્યો છે કે સોનામાં સ્થાનીક જ્વેલર્સ અને વૈશ્વિક સંકેતોને કારણે તેજી આવી છે. બીજી બાજુ ચાંદીમાં ઝડપથી ઘટાડો નોંધયઓ છે. બુધવારે દિલ્હી શરાફા બજારમાં ચાંદીનો ભાવ 39297 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.
ટ્રેડર્સે કહ્યુ કે સ્થાનીક જ્વેલર્સની માંગને કારણે સોનાનો ભાવ વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 0.54 ટકા ઘટીને 1282.40 ડોલર પ્રતિ ઔસ થઈ ગયો ક હ્હે. બીજી બાજુ ચાંદીનો ભાવ 0.74 ટકા વધીને 15.60 ડોલર પ્રતિ ઔસ થઈ ગયો. નબળા રૂપિયાને કારણે સોનાની આયાત મોંઘી થઈ. આ કારણે ભાવને થોડી મદદ મળી.
શરાફા માહિતગરો મુજબ વૈશ્વિક સ્તર પર કિમંતી ધરેણાની મજબૂતી અને ઘરેલુ શરાફા વેપારીઓ સાથે છુટક વિક્રેતાઓની લેવાલી વધવાથી સોનાના મૂલ્યમાં તેજી આવી. એ જ કારણે બજારમાં લગ્નની સીઝનમાં ખરીદીમાં તેજી આવવાનુ કારણ છે. જેનાથી સોના-ચાંદીની કિમંતોમાં વૃદ્ધિ થઈ.
