સંબંધિત સમાચાર
- જાણીતા બિલ્ડર RK ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા, બિલ્ડર લોબીમાં ફેલાયો ફફડાટ
- શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ કરતાં શિક્ષકોએ સોશિયલ મીડિયામાં આંદોલન શરુ કર્યું
- Good News: 30 હજાર રૂપિયા પગાર મેળવનાર કર્મચારીઓ ESIC માં આવી શકે છે
- અમદાવાદમાં બની રહ્યું છે સ્માર્ટ પાર્કિંગ
- આજે રાજ્યભરમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાશે, શિક્ષકો આજે અન્નજળનો ત્યાગ કરીને સર્વેક્ષણનો બહિષ્કાર કરશે
અફઘાનિસ્તાનથી પરત આવતા 78 લોકો, કેંદ્રીય મંત્રીએ કર્યો ગુરુ ગ્રંથ સાહિબને રિસિવ
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ભારતીયોને કાબુલમાંથી વતન પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે એર ઇન્ડિયાનું AI-1956 વિમાન 78 લોકોને લઇને તઝાકિસ્તાનની રાજધાની દુશાંબેથી દિલ્હી આવ્યુ. જેમાં 25 ભારતીય છે. આ વિમાનમાં કાબુલના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબને પણ લાવવામાં આવ્યા છે. કેન્દ્રીયપ્રધાન હરદીપ સિંહ પુરી, વી મુરલીધરન અને ભાજપના નેતા આરપી સિંહ આ ગુરુ ગ્રંથ સાહિબને રિસિવ કરવા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, તેઓ આ ગુરુ ગ્રંથ સાહિબને મસ્તક પર મૂકીને એરપોર્ટની બહાર લાવ્યા હતા. આ ગુરુ ગ્રંથ સાહિબની નકલો દિલ્હીના ગુરુદ્વારામાં રાખવામાં આવશે.
