1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. 55

અફઘાનિસ્તાનથી પરત આવતા 78 લોકો, કેંદ્રીય મંત્રીએ કર્યો ગુરુ ગ્રંથ સાહિબને રિસિવ

55
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ભારતીયોને કાબુલમાંથી વતન પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે એર ઇન્ડિયાનું AI-1956 વિમાન 78 લોકોને લઇને તઝાકિસ્તાનની રાજધાની દુશાંબેથી દિલ્હી આવ્યુ. જેમાં 25 ભારતીય છે. આ વિમાનમાં કાબુલના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબને પણ લાવવામાં આવ્યા છે. કેન્દ્રીયપ્રધાન હરદીપ સિંહ પુરી, વી મુરલીધરન અને ભાજપના નેતા આરપી સિંહ આ ગુરુ ગ્રંથ સાહિબને રિસિવ કરવા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, તેઓ આ ગુરુ ગ્રંથ સાહિબને મસ્તક પર મૂકીને એરપોર્ટની બહાર લાવ્યા હતા. આ ગુરુ ગ્રંથ સાહિબની નકલો દિલ્હીના ગુરુદ્વારામાં રાખવામાં આવશે. 
આગળનો લેખ
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ - આપણી ગુજરાતી ભાષા જ આપણી ઓળખાણ !