શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ઈસ્લામાબાદ: , શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (09:58 IST)

'પાકિસ્તાન થઈ ગયું છે એકદમ ગરીબ', નાણામંત્રીએ કહ્યું - જનતાએ સહન કરવી પડશે 'સંક્રમણની પીડા', જાણો શું છે આ પીડા ?

pakistan
pakistan
 
પાડોશી દેશ પાકિસ્તાન હવે સાવ ગરીબ થઈ ગયું છે. તેની પાસે તેના લોકોનું જીવન જાળવવા માટે બિલકુલ પૈસા નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન ભીખ માગતો કટોરો લઈને ભટકશે. તેથી, હવે પાકિસ્તાન ત્રીજી વખત ભીખ માંગવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે પહોંચ્યું છે. IMF પાકિસ્તાનને ગરીબીમાંથી બહાર લાવવા માટે 7 બિલિયન ડૉલરની નવી લોન આપવા માટે તૈયાર થઈ ગયું છે. પરંતુ પાકિસ્તાનના નાણામંત્રીએ કહ્યું છે કે આ માટે દેશના લોકોને સંક્રાંતિકાળની પીડામાંથી પસાર થવું પડશે.  પણ આ પીડા શું  છે અમે તમને પછી જણાવીશું પરંતુ તે પહેલા આવો જાણીએ કે પાકિસ્તાન આટલી ખરાબ હાલતમાં કેવી રીતે પહોચી ગયું?
 
આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાન આતંકવાદની નર્સરી ચલાવવા માટે જાણીતું છે. પરંતુ આતંકવાદ સામે મોદી સરકારની કડકાઈ અને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ઘેરાબંધી બાદ તેને મળતું આતંકવાદી ફંડિંગ ઘટ્યું. જેના કારણે પાકિસ્તાનને ખોરાકની અછતનો સામનો કરવો પડ્યો. બાકીનું કામ પૂર અને કુદરતી આફતોએ પુરૂ કર્યું.  હવે પાકિસ્તાન કણ કણ માટે  નિર્ભર બની ગયું છે. જો કે, તે રાહતની વાત છે કે ગયા ઉનાળામાં ડિફોલ્ટની નજીક આવ્યા બાદ તેની અર્થવ્યવસ્થા સ્થિર થઈ છે. પાકિસ્તાન હવે તેનું વિશાળ દેવું ચૂકવવા માટે IMF બેલઆઉટ પેકેજો અને મિત્ર દેશોની લોન પર  નિર્ભર છે, જે તેનાં વાર્ષિક આવકનો અડધો ભાગ સ્વાહા કરી જાય છે.
 
શું છે તેમની સંક્રમણકાલીન પીડા ?
પાકિસ્તાનના નાણા મંત્રી મુહમ્મદ ઔરંગઝેબે સ્થાનિક પ્રસારણકર્તા જિયો ન્યૂઝને જણાવ્યું કે આ લોન લીધા બાદ IMFની કડક શરતો પણ લાગુ કરવી પડશે. આનાથી જનતાને "સંક્રમણકાલીન પીડા" થશે, IMFની શરતોને કારણે જનતા પર  મોંઘવારીનો મોટો બોજ હશે નાણામંત્રીએ કહ્યું કે જો આપણે આને અંતિમ કાર્યક્રમ બનાવવો હોય તો આપણે માળખાકીય સુધારા કરવા પડશે." IMFએ એક નિવેદનમાં કહ્યું કે તે લગભગ 1 અરબ ડોલરનું  "તાત્કાલિક વિતરણ" કરશે. IMF પાકિસ્તાનના મિશન ચીફ નાથન પોર્ટરે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું. "અમે ખૂબ જ આવકારદાયક કમબેક જોયું છે." 
 
તેમણે કહ્યું, "પાકિસ્તાન સામેનો પડકાર હવે સ્થિરતાની આ નવી ભાવનાથી આગળ વધવાનો છે અને મજબૂત અને સતત વિકાસ તરફ આગળ વધવાનો છે, જેના ફાયદા વધુ વ્યાપક અને સમાનરૂપે સમાજમાં વહેંચાયેલા છે." બુધવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બાજુમાં બોલતા, વડા પ્રધાન શેહબાઝ શરીફે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા, ચીન અને સંયુક્ત આરબ અમીરાતના "જબરજસ્ત સમર્થન" ને કારણે આ સોદો થયો હતો.