1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
  4. hanuman

આ ઉપાય કરવાથી સપનામાં દર્શન આપશે હનુમાનજી

hanuman jayanti
તંત્ર જ્યોતિષ મુજબ ઘણા ચમત્કારિક ઉપાય છે, જેના માધ્યમથી તમે સપનામાં ભગવાનની કૃપા મેળવી શકો છો. આવો જ એક ઉપાય એ પણ છે જેમાં હનુમાનજી સપનામાં આવીને સાધકને મનોકામના પૂર્તિના આશીર્વાદ આપે છે. આ અનુષ્ઠાન 81 દિવસનો  છે. આ ઉપાય હનુમાન જયંતિના દિવસથી કે પછી મંગળવારથી શરૂ કરશો તો ખાસ ફળ મળે છે. આ ઉપાય કરવા માટે આગળ વાંચો..... 








આગળ વાંચો..... 

સાવધાની  - 
આ ઉપાય કરતી વખતે  બ્રહ્મચર્યનું  પાલન કરવુ  જરૂરી છે. સાથે  જ ક્ષૌર કર્મ જેમ કે - નખ કાપવા, વાળ કે દાઢી કાપવાની મનાઈ છે.  દારૂ અને માંસનુ  સેવન પણ આ ઉપાય કરતી વખતે  કરી શકતા નથી. 

હનુમાન જયંતીના દિવસે કે મંગળવારે  સવારે સ્નાન વગેરે કર્યા પછી એક લસોટી (લોટો)  જળ લઈને હનુમાનજીના મંદિરમાં જાઈને આ  જળથી હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવો. 
પહેલા દિવસે એક આખો અડદનો દાણો  હનુમાનજીના માથા પર મુકીને 11 પરિક્રમા કરો. 

પરિક્રમા કર્યા પછી તમારી ઈચ્છા હનુમાનજીની સામે કહો અને એ અડદનો દાણો લઈને પરત આવો અને એને  એક જુદા ડબ્બામાં  મુકી દો. 

બીજા દિવસે બે અડદના દાણા .. આમ રોજ એક-એક અડદનો દાણો વધારતા જાવ. અને આ જ રીતે હનુમાનજીની પરિક્રમા કરતા રહો. આવું 41 દિવસ સુધી કરો. 
42મા દિવસથી એક-એક દાણો ઓછો કરતા રહો. જેમ કે 42 દિવસે 40 , 43મા દિવસે 39 અને 81મા દિવસે 1 દાણો. 
81 દિવસનો આ ઉપાય પૂરો થતા હનુમાનજી સપનામાં દર્શન આપે છે અને સાધકની મનોકામના પૂરી થવાના આશીર્વાદ પણ આપે છે. 
આ અનુષ્ઠાનના સમયે જેટલા પણ અડદના  દાણા તમને હનુમાનજી ઉપર ચઢાવ્યા હોય એને નદીમાં પ્રવાહિત કરી દો. 
ये भी पढ़ें
આજે Sankashti Ganesh Chaturthi પર કરો આટલા કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ