સંબંધિત સમાચાર
- IPL 2024 : ટ્રોફી જીત્યા બાદ RCB એ બદલ્યું ટીમનું નામ, અનબોક્સ ઇવેન્ટમાં ફ્રેન્ચાઈજીએ કર્યો ખુલાસો
- WPL 2024 નું ચેમ્પિયન બન્યું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું
- WPL 2024: ગુજરાત ટાઇટન્સે જીતી કરો યા મરોની મેચ, RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા વધી
- RCB Vs GG WPL 2024: ગુજરાત જાયન્ટ્સે નોંધાવી પહેલી જીત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 19 રને હરાવ્યું
- IPL 2024: આરસીબીના પૂર્વ ડિરેક્ટરે ચહલને ટીમમાંથી બહાર કરવાનું સાચું કારણ જણાવ્યું, પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા
વિરાટ કોહલીનો RCB ના ફેંસ માટે મેસેજ, બોલ્યા - મને એ નામથી ન બોલાવશો, હુ શરમ અનુભવ છુ
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હંમેશા ઈંડિયન પ્રીમિયર લીગ ફ્રેંચાઈજી રોયલ ચેલેંજર્સ બેંગલુરુના પર્યાય બન્યા રહેશે. મંગળવાર 19 માર્ચના રોજ તેમણે આરસીબીના એક ઈવેંટમાં પોતાનો અને ટીમના પ્રશંસકોને આશ્વાસન આપ્યુ કે તેઓ હંમેશા આરસીબી સાથે બન્યા રહેશે અને એ ટીમનો ભાગ બનશે જે પહેલીવાર બેંગલુરુ માટે આઈપીએલ જીતશે. આરસીબીની મહિલા ટીમે આ વખતે WPL નો ખિતાબ જીત્યો છે. પણ 16 સીજનમાં આરસીબી આઈપીએલ જીતી નથી.
Virat Kohli at RCB Unbox LIVE
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 19, 2024
King Kohli speaks about 16 years of loyalty from the RCB fans, and signs off saying, “Im always going to be here!”
This is Johnnie Walker presents #RCBUnbox powered by @kotak_life and @duroflex_world. #PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/yviF0jIZBs
આરસીબી દ્વારા શેયર કરેલ આ વીડિયોમાં વિરાટ કોહલીએ કહ્યુ, જેવુ કે બધા જાણે છે, હુ હંમેશા એ સમુહનો ભાગ બનવા માટે અહી રહીશ જે પહેલીવાર ખિતાબ જીતશે. હુ પ્રશંસકો અને ફ્રેંચાઈજીના માટે મારુ સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીશ. આ જાણવુ મારુ પણ એક સપનુ છે કે આઈપીએલ જીતવુ કેવુ લાગે છે - આશા છે આ વર્ષે. વિરાટ કોહલીએ મહિલા ટીમની પ્રશંસા કરી અને મંગળવારે આરસીબીના અનબોક્સ ઈવેંટમાં સ્મૃતિ મંઘાના એંડ કંપનીને સલામી આપી.
કોહલીએ કહ્યુ - બિલકુલ અદ્દભૂત જ્યારે તેઓ જીત્યા અમે બધા એ જોઈ રહ્યા હતા અને એ સમયે તમને ફૈન બેસની ભાવનાનુ પૂર્ણ શુદ્ધતમ રૂપનો એહસાસ થાય છે. હુ આવુ એટલા માટે કહી રહ્યો છુ કારણ કે એવુ લાગ્યુ કે શહેર જીતી ગયુ. જો તમે આરસીબી મહિલા ટીમ દ્વારા રમાયેલ બધી મેચો દરમિયાન પ્રશંસકોની હાજરી જોશો તો ઈમાનદારીથી કહુ તો બાકી ટીમોના મુકાબલે તેની કોઈ તુલના નહોતી. આરસીબી માટે સૌથી વધુ દર્શક મેચ જોવા પહોચ્યા હતા.
આ ઈવેંટમાં વિરાટ કોહલીએ ફેંસને એ પણ અનુરોધ કર્યો કે તેમને કિંગ કહીને ના બોલાવે. તેમણે કહ્યુ, 'પરત આવવુ સુખદ છે, મિત્રો અમે ખૂબ જલ્દી ચેન્નઈ પહોચવાનુ છે. અમારી ચાર્ટર ફ્લાઈટ દ્વારા ત્યા જવાનુ છે. તેથી અમારી પાસે વધુ સમય નથી. અને સૌથી પહેલા તમારે મને એ શબ્દ(કિંગ)થી બોલાવવુ બંધ કરવુ પડશે. હુ શરમ અનુભવુ છુ જ્યારે તમે મને આવુ કહો છો અને તેઓ આ રીતે પ્રતિક્રિયા કરે છે. હવેથી મને બસ વિરાટ કહીને બોલાવો, એ શબ્દનો ઉપયોગ ન કરશો.
