1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
  4. navratri 2022 date in gujarati

Shardiya Navratri 2022- આવતા મહિને સપ્ટેમ્બરની આ તારીખથી શરૂ થશે શરદ નવરાત્રી પર્વ, જાણો માતા દુર્ગાની ભક્તિની શુભ તિથિઓ

navratri sthapana
Shardiya Navratri 2022 Date:  હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસના માટે નવરાત્રિ (Navratri) નો પર્વનો ઘણુ મહત્વપૂર્ણ ગણાય છે. વર્ષભરમાં 4 વાર નવરાત્રી આવે છે. જેમાંથી 2 ગુપ્ત અને 2 પ્રત્યક્ષ નવરાત્રી કહેવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રી પર્વ 26 સેપ્ટેમ્બર 2022થી શરૂ થશે જે નવ દિવસ સુધી ચાલશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વખતે શારદીય નવરાત્રિમાં મા દુર્ગાનું વાહન હાથી હશે, જે સોમવારથી શરૂ થશે.
 
26 સપ્ટેમ્બર 2022 (સોમવાર)- પ્રતિપદા તિથિ (મા શૈલપુત્રી)
27 સપ્ટેમ્બર 2022 (મંગળવાર)- દ્વિતિયા તિથિ (મા બ્રહ્મચારિણી)
28 સપ્ટેમ્બર 2022 (બુધવાર)- ત્રીજી તિથિ (મા ચંદ્રઘંટા)
29 સપ્ટેમ્બર 2022 (ગુરુવાર)- ચતુર્થી તિથિ (મા કુષ્માંડા)
30 સપ્ટેમ્બર 2022 (શુક્રવાર)- પંચમી તિથિ (મા સ્કંદમાતા)
1 ઓક્ટોબર 2022 (શનિવાર)- છઠ્ઠી તિથિ (મા કાત્યાયની)
2 ઓક્ટોબર 2022 (રવિવાર)- સપ્તમી તિથિ (મા કાલરાત્રિ)
3 ઓક્ટોબર 2022 (સોમવાર)- દુર્ગા અષ્ટમી (મા મહાગૌરી)
4 ઓક્ટોબર 2022 (મંગળવાર)- મહાનવમી (મા સિદ્ધિદાત્રી)
5 ઑક્ટોબર 2022 (બુધવાર)- મા દુર્ગાનું વિસર્જન, દશમી તિથિ (દશેરા)
 
ઘટસ્થાપના પૂજા વિધિ -
1. નવરાત્રિના પહેલા દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો.
2. સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી કલશને પૂજા ઘરમાં રાખો.
3. માટીના વાસણની આસપાસ પવિત્ર દોરો બાંધો
4. હવે કલશને માટી અને અનાજના બીજના સ્તરથી ભરો.
5. વાસણમાં પવિત્ર જળ ભરો અને તેમાં સોપારી, ગંધા, અક્ષત, દુર્વા ઘાસ અને સિક્કા મૂકો.
6. કલશના ચહેરા પર એક નારિયેળ મૂકો.
7. કલશને કેરીના પાનથી સજાવો.
8. મંત્રોનો જાપ કરો.
9. કલશને ફૂલ, ફળ, ધૂપ અને દીવો અર્પણ કરો.
10. દેવી માહાત્મ્યમનો પાઠ કરો.
ये भी पढ़ें
Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થી પર વિઘ્ન હર્તા આ રાશિઓ પર રહેશે મેહરબાન, કરશે ધન વર્ષા