સંબંધિત સમાચાર
- આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએટની ઓફલાઈન પરીક્ષા નહીં યોજવા NSUIની માંગ
- અમદાવાદ:ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને ઇન્સ્ટિ્યૂટોએ ફાયર અને સેફ્ટીની NOC ફરજીયાત જમા કરાવવી પડશે..
- ગુજરાત યુનિવર્સિટીની બેચલર ઓફ રૂલર સ્ટડીઝની જિલ્લાની બે કોલેજમાં માસ કોપી કેસ, કોલેજનું જોડાણ અને પરીક્ષા કેન્દ્ર રદ કરવાનો નિર્ણય
- સીન્ડીકેટની મીટિંગમાં ગુજરાત યુનિવર્સિટીનું વર્ષ 2021-22નું 279 કરોડનું બજેટ મંજુર, 7 કરોડના નવા ટેન્ડરો મંજુર કરાયા
- ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થઈ પરંતુ ઓનલાઈન પરીક્ષાની તારીખ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં
ગુજરાત યુનિવર્સિટીમાં 5 દિવસ વર્ક ફ્રોમ હોમ બાદ 50 ટકા કર્મચારીઓની કેપેસિટી સાથે આજથી ફરી કામગીરી શરૂ
ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાનો પગ પસેરી થયો હતો. જેમાં ઉપકુલપતિ સહિત 6 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી યુનિવર્સિટીમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે 5 દિવસ સુધી યુનિવર્સિટીની કામગીરી ઓફલાઈન બંધ કરવામાં આવી હતી અને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજથી યુનિવર્સિટીમાં 50 ટકાની કેપેસિટી સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગત 9 એપ્રિલથી ગુજરાત યુનિવર્સિટીના તમામ કર્મચારીઓને કોરોનાને કારણે વર્ક ફ્રોમ ગોમનો આદેશ આપવામાં આવ્યો હતો. 5 દિવસ સુધી વર્ક ફ્રોમ હોમનો સમય પૂર્ણ થયા બાદ આજથી ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે 50 ટકા સ્ટાફ સાથે જ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત યુનિવર્સિટીમાં ઓડ ઈવન પદ્ધતિથી કામ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસાર કોરોનાથી સંક્રમિત થયા હતા. સાથે જ લાયબ્રેરિયન યોગેશ પરીખ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત અન્ય 4 કર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.અઠવાડિયા અગાઉ ભાષા ભવનના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું હતું. જેથી યુનિવર્સિટીમાં પણ કોરોનાને કારણે ડર ફેલાયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસાર કોરોનાથી સંક્રમિત થયા હતા. સાથે જ લાયબ્રેરિયન યોગેશ પરીખ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત અન્ય 4 કર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.અઠવાડિયા અગાઉ ભાષા ભવનના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું હતું. જેથી યુનિવર્સિટીમાં પણ કોરોનાને કારણે ડર ફેલાયો હતો.
