સંબંધિત સમાચાર
- School Bus Accident - મહેસાણાના ખેરાલુની સ્કૂલબસનો રાજસ્થાનમાં અકસ્માત, 2 વિદ્યાર્થીના મૃત્યુ, 21 ઇજાગ્રસ્ત
- Surat Clean City: સૂરત અને ઈન્દોર બન્યા દેશના સૌથી સ્વચ્છ શહેર, રાષ્ટ્રપતિ મુર્મુએ આપ્યો એવોર્ડ
- વલસાડમાં પાડોશીઓ જ નીકળ્યા હત્યારા
- અમદાવાદના ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું, ચીનનો રેકોર્ડ તોડી નાંખ્યો
- અમદાવાદની યુવતીએ આતંકી સાથે કર્યાં લગ્ન
Ayodhya -ahmedabad Flight- સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા અને અમદાવાદ વચ્ચે ફ્લાઈટ સર્વિસ શરૂ કરી છે
ayodhya Ram mandir News- ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે રામ મંદિરના અભિષેક સમારોહના દિવસે 22 જાન્યુઆરીએ અયોધ્યા એરપોર્ટ પર 100 ચાર્ટર્ડ ફ્લાઇટ્સ લેન્ડ થવાની અપેક્ષા છે. યોગીએ આ વાત અયોધ્યાથી અમદાવાદ સુધીની એરલાઇન ઈન્ડિગોની ફ્લાઈટ સેવાના ઉદ્ઘાટન માટે આયોજિત ઓનલાઈન સમારોહમાં કહી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમદાવાદ અને અયોધ્યા વચ્ચેની પ્રથમ ફ્લાઈટ માટે બોર્ડિંગ પાસ પણ મેળવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું નિવેદન
આ અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, "ખૂબ જ ટૂંક સમયમાં અમે ઉત્તર પ્રદેશ માટે અલીગઢ, આઝમગઢ, શ્રાવસ્તી, ચિત્રકૂટ અને મુરાદાબાદમાં એક મહિનામાં 5 નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરીશું. જેવરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. "અમે આગામી દિવસોમાં મેરઠ, મયુરપુર અને સરસાવામાં પણ એરપોર્ટનું સંચાલન કરીશું."

