સંબંધિત સમાચાર
- અમદાવાદમાં પરપ્રાંતીયોના ધંધા ત્રણ દિવસથી ઠપઃ રોજ કમાઇને રોજ ખાતા પરિવારોની દયનીય સ્થિતિ
- ચાંપતો બંદોબસ્ત હોવા છતાં પરપ્રાંતિઓ પર હૂમલા કોના આશિર્વાદથી થઈ રહ્યાં છેઃ કોંગ્રેસ પ્રમુખ ચાવડા
- બાળકી પર બળાત્કારના વિરોધમાં પરપ્રાંતીય લોકોને રાજ્ય છોડવાની ધમકી
- 23 સિંહોના મોતને લઇને ધારી સજ્જડ બંધ, વેપારીઓનો સંપૂર્ણ ટેકો
- જાણો પરપ્રાંતિયો પર હુમલાને લઈને અલ્પેશ ઠાકોરે શું કહ્યું
પરપ્રાંતીય હૂમલાઓ પાછળ કોંગ્રેસના 20 લોકોના નામ ખુલ્યા
પરપ્રાંતીય નાગરીકો પર હૂમલા અને બાદમાં શરૃ થયેલી હિજરતને કારણે ગુજરાત સરકાર દેશભરમાં ઘણી જ બદનામ થઇ છે. આથી સરકારે હવે ડેમેજ કંટ્રોલ શરૃ કર્યું છે. આ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પરપ્રાંતીય લોકો પર હૂમલો કરનારા લોકોને છોડવામાં નહીં આવે. ગુજરાતનાં ઔદ્યોગિક એકમોની જવાબદારી અમારી છે.
ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં કોણે ઉશ્કેરણીજનક મેસેજ બનાવીને કયાં ક્યાં મોકલ્યા છે. તેમાં કયા પક્ષ કે સંગઠનનાં આગેવાનો કે નેતાઓ જોડાયેલા છે તે તમામ મુદ્દાઓની તપાસ અમદાવાદની સાયબર ક્રાઇમની ટીમે શરૃ કરી છે. આઈટી એક્ટ ૭ જેટલા ગુના નોંધાયા છે. તેમજ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા અત્યાર સુધીમાં કોંગ્રેસનાં ૨૦ જેટલા લોકોનાં નામ ખુલ્યા છે.
ગુજરાતનાં વિકાસમાં અવરોધ ઊભો કરનારા કોઇપણ શખ્સને છોડાશે નહીં. જો કે છેલ્લા ૭૨ કલાકમાં એકપણ ગંભીર ગુનો બન્યો નથી. કેન્દ્ર અને રાજ્યની પોલીસે તાત્કાલીક શાંતિ સ્થપાય તેવી વ્યવસ્થા કરી હતી. ઠાકોર સમાજના લોકોનાં નામ પણ ખુલ્યા છે. રાજ્યભરમાંથી કુલ ૫૩૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં કોણે ઉશ્કેરણીજનક મેસેજ બનાવીને કયાં ક્યાં મોકલ્યા છે. તેમાં કયા પક્ષ કે સંગઠનનાં આગેવાનો કે નેતાઓ જોડાયેલા છે તે તમામ મુદ્દાઓની તપાસ અમદાવાદની સાયબર ક્રાઇમની ટીમે શરૃ કરી છે. આઈટી એક્ટ ૭ જેટલા ગુના નોંધાયા છે. તેમજ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા અત્યાર સુધીમાં કોંગ્રેસનાં ૨૦ જેટલા લોકોનાં નામ ખુલ્યા છે.
ગુજરાતનાં વિકાસમાં અવરોધ ઊભો કરનારા કોઇપણ શખ્સને છોડાશે નહીં. જો કે છેલ્લા ૭૨ કલાકમાં એકપણ ગંભીર ગુનો બન્યો નથી. કેન્દ્ર અને રાજ્યની પોલીસે તાત્કાલીક શાંતિ સ્થપાય તેવી વ્યવસ્થા કરી હતી. ઠાકોર સમાજના લોકોનાં નામ પણ ખુલ્યા છે. રાજ્યભરમાંથી કુલ ૫૩૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
