સંબંધિત સમાચાર
- બહુચરાજી મંદિરના આરસપહાણ પથ્થર કાળા પડી ગયા ભ્રષ્ટાચારી સામે પગલાં લેવા સીએમને રજૂઆત
- ‘યોગ ફોર હાર્ટ’ થીમ પર કરાઇ યોગ દિવસની ઉજવણી, મુખ્યમંત્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત
- બનાસકાંઠા - એક જ પરિવારના 4 સભ્યોની રહસ્યમયી હત્યા
- હિમાચલ પ્રદેશમાં બસ ખીણમાં ખાબકી, 43નાં મૃત્યુ
- છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૪૭ તાલુકાઓમાં સામાન્ય વરસાદ, થરાદ તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ
PM મોદીને મળી જીવથી મારવાની ધમકી, 500 રૂપિયાની નોટ પર મલયાલમમાં લખ્યુ મોદીનુ ગળુ ...
આખી દુનિયામાં આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય રહ્યો છે. આ અવસર પર પીએમ મોદીએ ઝારખંડના રાંચીમાં 40 હજાર લોકો સાથે યોગ કર્યો પણ તાજેતરમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને જીવથી મારવાની ધમકી મળી છે. 500 રૂપિયાના નોટ પર લખીને આપવામાં આવી છે. ત્રિશુરના ગુરૂવાયુર મંદિર દેવાસ ઓમ ઓફિસને એક કવર મળ્યુ. આ કવરમાં એક પાંચસો રૂપિયાની નોટ પર ધમકી લખી હતી, 'પીએમ મોદીને મારવામાં આવશે. તેમનુ ગળુ કાપવામાં આવશે."
પીએમ મોદીને મારવાની ધમકી મલયાલમ ભાષામાં લખી હતી. આ મામલો સામે આવ્યા પછી ગુપ્ત અને સુરક્ષા એજંસેઓમાં હડકંપ મચી છે. ગુપ્ત એજંસીઓની તપાસ ચાલુ છે અને આ જાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કે આ પત્ર ક્યાથી આવ્યો હતો
