સંબંધિત સમાચાર
બુલેટ ટ્રેન પ્રોજેકટમાં 27 ખેડૂતોને રૂા.22.50 કરોડ ચૂકવી જમીનનો કબજો લેવાયો
બુલેટ ટ્રેનનો ખેડુતો દ્વારા થઇ રહેલા વિરોધની વચ્ચે આજુ સુરત જિલ્લાના વકતાણા ગામ ખાતે સુરત જિલ્લા કલેકટર અને બુલેટ ટ્રેનના ઓફિસરો અને જમીન સંપાદન અધિકારીઓની હાજરીમાં ત્રણ ગામના ૨૭ ખેડુત ખાતેદારોની ૨૫૪૪૦ ચો.મી જમીનના વળતર પેટે રૂા.૨૨.૫ કરોડ રૂપિયા ચૂકવીની જમી સંપાદન કરી લેવાઇ હતી.
આ ત્રણ ગામોમાં ચોર્યાસી તાલુકાના ગોજાના ૨, વકતાણાના ૧૭ અને બોણંદના ૮ ખેડુતો મળીને કુલ ૨૭ ખેડુતોની ૨૫,૪૪૦ ચો.મી જમીનના રૂા.૨૨.૫ કરોડ આરટીજીએસથી ચૂકવી જમીનનો કબ્જો પણ મેળવી લીધો હતો. જમીન સંપાદન અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં જે જમીન સંપાદન થવાની છે, તેના વળતર પેટે ૮૦ ટકા રકમ ચૂકવાઇ ગઇ છે. જેમણે જમીન સંપાદન માટે સંમતિ આપી છે, તેવા જ ખેડુતાની જમીન સંપાદન કરાઇ છે. આ સિવાય તે ખેડૂતો સંમતી આપશે તે તમામની જમીનનું વળતર ચૂકવાશે.
૨૨ ખેડુતોને આજે વળતર ચૂકવાતા લડત ચલાવતા ખેડુતોની લડત આગામી દિવસોમાં વધુ વેગવાન બનશે. હાલમાં જમીનના ભાવોમાં કડાકો બોલ્યો હોવાથી ખેડુતોને સારૂ વળતર મળતા જમીન સંપાદન માટે સંમતી આપી હોવાનું જાણવા મળ્યુ છે.
સુરતના ચોયાસી તાલુકાના ત્રણ ગામોની જમીન સંપાદન અને વળતરની કાર્યવાહી થતા સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ખેડુતોનો આભાર માન્યો હતો. તેમણે ખેડુતોને સંધર્ષ છોડીને દેશના સૌથી મહત્વપૂર્ણ બુલેટટ્રેન પ્રોજેકટ માટે જમીન આપી દેશના વિકાસમાં સહયોગી બનવા અપીલ કરી હતી. સાથે જ કોઇપણ નેતા કે પક્ષનો હાથો નહી બનવા પણ વિનંતી કરી હતી. જમીન સંપાદન માટે સંમતી આપનાર ખેડૂતોને વળતર ઝડપથી ચૂકવાશે.
