ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જય હનુમાન
Written By

Hanuman Mantra- આ હનુમાન મંત્રથી તમારા જીવનમાં થશે ચમત્કાર

જો તમે કોઈ લક્ષ્ય પુરુ કરવા માંગતા હોય તો  'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો .રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછા 108 વાર બોલવાથી પણ મનચાહ્યા કામ પૂરા થાય છે.
Hanuman Ashtak Path


જો આપ નોકરી મેળવવા માંગતા હોય કે તમારા જીવનનું કોઈ સંકટ દૂર કરવા માંગતા હોય તો હનુમાનજીને દર શનિવારે તેલ અને સિંદૂર ચઢાવો. ચઢાવેલ થોડુ સિંદૂર પોતાના માથા ઉપર લગાવવાની સાથે જ ઘરના દેવઘર કે મંદિરના દ્વારની આસપાસ શ્રીરામ લખો કે સ્વસ્તિક બનાવો. આ સંકટમોચક કરનારો ઉપાય માનવામાં આવે છે.

હિન્દુ ધર્મ માન્યતાઓમાં હનુમાનજીને રુદ્ર અવતાર, રામદૂર હોવાની સાથે જ અજર-અમર દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે જ એવું માનવામાં આવે છે કે કળયુગમાં પણ તેઓ ભક્તોની આસપાસ જ મોજુદ હોય છે અને કોઈપણ રૂપમાં કરવામાં આવેલ ભક્તિનું શુભ ફળ ઝડપથી આપે છે.
 

Jai Hanuman


હનુમાનજી પણ રૂદ્ર એટલે શિવનો અવતાર માનવામાં આવે છે, મંગળ પણ શિવનો જ અંશ છે,આ જ કારણ છે કે હનુમાનજીની ભકિત મંગળ પીડાને પણ શાંત કરવામાં પ્રભાવશાળી માનવામાં આવી છે. આ માટે જ હનુમાનજી ભકિતથી મંગળદોષ માટે કોઇ વિશેષ હનુમાનમંત્ર, હનુમાનજીની પૂજા કરીને બોલવો. આ ઉપરાંત હનુમાન ચાલીસાનાં પાઠ સાચી શ્રદ્ધા અને ભકિતથી કરવામાં આવે તો ચોક્કસ સકારાત્મક અને શુભ ફળ આપને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વધુમાં નીચે જણાવેલ હનુમાન મંત્રનાં પાઠ કરવાથી તમામ મુશ્કેલીઓમાંથી મુકિત મળે છે અને આપના તમામ કાર્ય સિદ્ધ અને સફળ થાય છે.

    હનુમાનજીને પ્રસન્ન કરવા માટેનો મંત્ર

||મનોજવં મારુત તુલ્ય વેગં, જીતેન્દ્રિયં બુદ્ધિમતા વરિષ્ઠં
વાતાત્મજં વાનરયૂથ મુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપધ્યે||