1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Four workers die in explosion at firecracker unit in Tamil Nadu

તમિલનાડુમાં દુર્ઘટનાથી શરૂ થયુ નવુ વર્ષ - ફટાકડા બનાવનારી ફેક્ટરીમાં ભીષણ આગ, 4 લોકોના મોત

તમિલનાડુ
વિરુદનગર - તમિલનાડુના વિરુદનગર જીલ્લામાં શિવકાશીના નિકટ મેટ્ટપટ્ટીમાં એક પ્રાઈવેટ ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી શનિવારે ચાર શ્રમિકોના મોત થયા અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જિલ્લા કલેક્ટર મેઘનાથ રેડ્ડીએ આ માહિતી આપી છે. પોલીસના જણાવ્યા મુજબ એસ. કુમાર (38), પી પેરિયાસામી (65) અને એસ વીરકુમાર (40)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય કર્મચારી, પી મુરુગેશન (38), સારવાર માટે શિવકાશીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં મૃત્યુ પામ્યા હતા.
શનિવારે સવારે આરકેવીએમ ફટાકડાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે એક પછી એક વિસ્ફોટો થયા હતા, પોલીસે જણાવ્યું હતું. ફટાકડા યુનિટમાં 30 લોકો કામ કરે છે અને આ યુનિટ સી વાજીવિદુ મુરુગન (38)નું છે. યુનિટમાં લગભગ દસ રૂમ છે. વિસ્ફોટ શનિવારે સવારે લગભગ 8.30 વાગ્યે થયો હતો. આ અકસ્માતને કારણે ઓછામાં ઓછા સાત કામના વેરહાઉસ અને શેડ ધરાશાયી થયા હતા.
 
આ ગોડાઉનોમાં ફટાકડા અને અત્યંત જ્વલનશીલ રસાયણોનો વિશાળ સ્ટોક હતો. પ્રાથમિક તપાસમાં રાસાયણિક પદાર્થમાં ઘર્ષણને કારણે વિસ્ફોટ થયો હોવાનું જણાયું હતું. પોલીસે જણાવ્યું કે આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ ઓલવવાનું શરૂ કર્યું. ઇજાગ્રસ્તોને સારવાર માટે શિવકાશી સરકારી હોસ્પિટલમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ મહેસૂલ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું સુરક્ષા ધોરણોનું કોઈ ઉલ્લંઘન થયું છે.
આગળનો લેખ
AAP નેતા ઇસુદાન ગઢવી લિકર ટેસ્ટ પોઝિટિવ