શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (15:37 IST)

CDS હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત થયો,

CDS હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત થયો, મૃતદેહોને અન્ય વાહનમાં ખસેડવામાં આવ્યા, સુલુર લઈ જવામાં આવ્યા
 
IAF હેલિકોપ્ટર દુર્ઘટનાના મૃતદેહોને એસ્કોર્ટ કરતી પોલીસ વાનનો અકસ્માત થયો તેની થોડી મિનિટો પછી, CDS હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત થયો, મૃતદેહોને અન્ય વાહનમાં ખસેડવામાં આવ્યા, સુલુર લઈ જઈ જવામાં આવ્યા. 
 
કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટના બાદ મહત્વના સમાચાર : બિપીન રાવત સહિત 13 લોકોના પાર્થિવ દેહને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત, કોઈમ્બતુરના મેટ્ટાપલયમ નજીક બુર્લિયાર પાસે અકસ્માત

તમિલનાડુ: કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય કર્મચારીઓના પાર્થિવ અવશેષો લઈ જતી એમ્બ્યુલન્સ, નીલગીરી જિલ્લાના મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ માટે સ્થાનિકો ફૂલની પાંખડીઓ વરસાવી રહ્યા છે.
આવતીકાલે એટલે કે શુક્રવારે સવારથી તેમના  આ પાર્થિવદેહને જનરલ રાવતના ઘરે લઈ જવાશે, જ્યાં સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી લોકો તેમનાં અંતિમ દર્શન કરી શકશે. ત્યાર બાદ અંતિમસંસ્કાર કરાશે. અંતિમયાત્રા કામરાજ માર્ગથી નીકળશે. તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ એરફોર્સ ચીફ વીઆર ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી. કુન્નૂરમાં દુર્ઘટના સ્થળેથી બ્લેક બોક્સ મળી આવ્યું છે.