1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. માતાજીના જાણીતા શક્તિપીઠ
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (16:05 IST)

માતાના 51 શક્તિપીઠ - મહશિતા ગુજરેશ્વરી નેપાલ - 12

Shri Guhyeshwori Shaktipeeth
Shri Guhyeshwori Shaktipeeth દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને 
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ. 
 
નેપાલ- ગૃહ્યેશ્વરી - નેપાલમાં પશુપતિનાથ મંદિરની પાસે સ્થિત ગુજરેશ્વરી મંદિર જ્યાં માતાના બન્ને ધૂંટણ પડ્યા હતા. તેની શક્તિ છે મહશિરા અને ભૈરવને કપાળી કહે છે. આમ તો તેનો સાચુ નામ છે ગૃહ્યેશ્વરી. ગૃહયેશ્વરી બે શબ્દો ગ્રહ્યા (સીક્રેટ) અને ઈશ્વરી (દેવી) થી મળીને બન્યુ છે. તેને ગૃહયાકાળી પણ કહેવાય છે. હકીકત છે કે તે તાંત્રિકોની દેવી છે. એવી માન્યતા પણ છે કે અહીં દેવી સતીના શરીરમાંથી સાંધા (શૌચ અંગો) પડી ગયા હતા. 
 
પશુપતિનાથ મંદિરથી અમુક અંતરે બાગમતી નદીની બીજી બાજુ સ્થિત આ મંદિરમાં દેવીને નેપાળના પ્રમુખ દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. એવું કહેવાય છે કે ગુહ્યેશ્વરી શક્તિપીઠ આશરે છે 2500 વર્ષ જૂનું છે. તે કાઠમંડુમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાંની એક છે. આ મંદિર 17મી સદીમાં રાજા પ્રતાપ મલ્લ દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ પછી કાંતિપુરના નવમા રાજા પેગોડા શૈલીમાં બનેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.