1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 4 ડિસેમ્બર 2023 (16:29 IST)

માર્ગશીર્ષ ગુરૂવાર કરવાના 10 નિયમ

guruvar niyam
guruvar niyam
હિન્દુ ધર્મના વ્રતમાંથી માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારે લક્ષ્મી વ્રત કરાતુ હોવાથી આ વ્રતના દેવતા નારાયણ સહિત લક્ષ્મી છે 
 
- આ વ્રતની શરૂઆત માર્ગશીર્ષ મહિનાના પ્રથમ ગુરૂવારથી કરવી અને અંતિમ ગુરૂવારે ઉજવણી કરવી 
 
- આ વ્રત કોઈપણ કન્યા કોઈપણ સુહાગન સ્ત્રી કે કોઈપણ પુરૂષ કે પતિ પત્ની બંને કરી શકે છે. 
 
- આ વ્રત કરનારી સ્ત્રીએ એક દિવસ અગાઉ એટકે બુધવારે સૂર્યાસ્ત પછી શુક્રવારે સૂર્યોદય સુધી લસણ, ડુંગળી કે માંસાહારનુ સેવન ન કરવુ 
 
- આ વ્રત કરનારી સ્ત્રીઓએ ફક્ત પાણી દૂધ અને ફળોનુ સેવન કરવુ 
 
- પૂજા કરતી વખતે અને કથા વાંચતી વખતે મન શાંત અને ખુશ હોવુ જોઈએ 
 
- વ્રતના દિવસે ઘર આનંદીત રાખવુ 
 
- જો તમે પૂજા ન કરી શકતા હોય તો(માસિક ધર્મ કે કોઈના મોતનો શોક)  અન્ય કોઈ પાસેથી પૂજા કરાવી લેવી.. પણ ઉપવાસ પોતે કરવો. 
 
- સાંજે આરતી કરીને દેવીને મિષ્ટાન્ન ભોજન સહિત મહાનૈવેદ્ય અર્પણ કરવો અને કુંટુંબ સહિત આનંદપૂર્વક ભોજન કરવુ. 
 
- લક્ષ્મી ધન સંપત્તિ પ્રાપ્તિ માટે પુરૂષ ભક્ત શ્રીલક્ષ્મી મહાત્મયનો પાઠ કરી શકે છે.