1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. New Year 2017 laxmi prapti Upay in Gujarati

નવુ વર્ષ 2017માં જોઈએ પૈસો તો પર્સમાં મુકી દો આવો દોરો.. જાણો અન્ય ઉપાયો

નવુ વર્ષ 2017
વર્ષ 2016નો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આ મહિનામાં અહી બતાવેલ ઉપાય કરી લેશો તો આવનારા વર્ષ 2017માં પોતાના ઘરની ગરીબી દૂર થઈ શકે છે. અહી જાણો નાના-નાના ઉપાય.. જેનાથી લક્ષ્મી કૃપા મળે છે અને ઘરમાં પૈસો આવે છે. 
 
- કાચા દોરામાં 7 ગાંઠ લગાવો અને ગણેશજીને ચઢાવો. સાથે જ ગણપતિજીને પ્રાર્થના કરો કે અમારા બધા કષ્ટો દૂર કરો. પૂજા પછી આ દોરો પર્સમાં મુકો. 
 
- કોઈ હાથીને લીલુ ઘાસ ખવડાવો અને મંદિર જઈને ભગવાન શ્રીગણેશને પરેશાનીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. તેનાથી મોટી મોટી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે. 
 
- રોજ સવારે સ્નાન પછી એક થાળી લો અને તેના પર ચંદનથી ૐ ગં ગણપતયૈ નમ: મંત્ર લખો. ત્યારબાદ આ થળીમાં પાંચ બૂંદીના લાડુ મુકો અને ગણેશજીને ચઢાવો. 
 
- સવારે સ્નાન પછી ગણેશ મંદિર જાવ અને ગોળના 21 ઢેલા કે પછી નાના નાના ટુકડા ચઢાવો.  સાથે જ દૂર્વા પણ ચઢાવો. 
 
- 7 નારિયળની માળા બનાવો અને શ્રી ગણેશને ચઢાવો તેનાથી કાર્યોમાં આવતા અવરોધ દૂર થઈ શકે છે. 
 
- શ્રી ગણેશને જનેઉ અર્પિત કરો. સિંદૂરથી શ્રૃંગાર કરો. મોદકનો ભોગ લગાવો. દૂર્વા પણ ચઢાવો. ગણેશ મંત્રનો જાપ કરો. 
 
- સવારે સ્નાન પછી શ્રી ગણેશને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવો. પૂજા પછી ઘી અને ગોળનુ દાન કરી દો. 
 
- નિયમિત રૂપથી શ્રીગણેશનો અભિષેક કરવાથી પણ ઘર-પરિવારની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. સાથે જ ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ કરો. 
 
- દૂર્વાની 21 ગાંઠ ગણેશજીને રોજ ચઢાવવી જોઈએ. આવુ કરવાથી ઘર-પરિવારમાં બરકત કાયમ રહે છે. 
 
- ગણેશ મંદિર જાવ અને જરૂરી લોકોને પોતાના સામર્થ્ય મુજબ દાન કરો. દાન દ્વારા જૂના પાપની અસર ખતમ થઈ જાય છે. 
આગળનો લેખ
શનિવારે રાશિ મુજબ કરશો આ ઉપાય તો મળશે સુરક્ષાનું વરદાન