1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Nirjala Ekadashi in gujarati,

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Nirjala Ekadashi in gujarati
હિંદુ ધર્મમાં નિર્જળા એકાદશીને તમામ એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની 24 એકાદશીઓ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ભક્તો અન્ન અને જળનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે.

નિર્જળા એકાદશી પૂજાની સરળ અને રીત 

સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.
ઘરના મંદિર અથવા પૂજા સ્થળને સ્વચ્છ કરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરો.
ભગવાનને પીળાં ફૂલ, તુલસીના પાન, ચંદન અને ફળ અર્પણ કરો.
ઘીનો દીવો પ્રગટાવી વિષ્ણુ સહસ્ત્રનામ અથવા વિષ્ણુ મંત્રનો જાપ કરો.
નિર્જળા એકાદશી વ્રતનો સંકલ્પ લો અને દિવસભર ભક્તિમાં સમય વિતાવો.
સાંજે ભગવાનની આરતી કરીને પ્રસાદ અર્પણ કરો.
દ્વાદશીના દિવસે સ્નાન બાદ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને દાન આપીને વ્રતનું પારણું કરો.

વ્રતનું મહત્વ

ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ, નિર્જળા એકાદશીનું વ્રત પાપોના નાશ માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જે લોકો વર્ષ દરમિયાન તમામ એકાદશીનું વ્રત કરી શકતા નથી, તેઓ માટે આ એક વ્રત વિશેષ ફળદાયી ગણાય છે.
 

ધ્યાનમાં રાખવાની બાબતો

આરોગ્યની સમસ્યા હોય તો નિર્જળ ઉપવાસ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.
વ્રત દરમિયાન સાત્વિક વિચારો રાખવા અને ક્રોધ, અસત્ય તથા નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવું.
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાથી વિશેષ શુભ ફળ મળે છે.


નિર્જળા એકાદશીએ આ ભૂલો ન કરો
 
 અન્ન અને જળનું સેવન ટાળો
નિર્જળા એકાદશીનું મુખ્ય નિયમ જળ અને અન્નનો ત્યાગ કરવાનો છે. સ્વાસ્થ્યની સ્થિતિ મુજબ જ નિયમોમાં ફેરફાર કરવો.
 

 તાંમસિક ભોજનથી દૂર રહો

ડુંગળી, લસણ, માંસાહાર, દારૂ અને અન્ય તાંમસિક વસ્તુઓનું સેવન ન કરવું.
 
 ખોટું બોલવું અને ક્રોધ કરવો નહીં
વ્રત દરમિયાન મન, વાણી અને કર્મની પવિત્રતા જાળવવી જરૂરી છે.
 
 વિવાદ અને અપશબ્દોથી દૂર રહો
કોઈ સાથે ઝઘડો કે કટુવાણી કરવાથી વ્રતનું આધ્યાત્મિક મહત્વ ઘટે છે.
 
 તુલસીના પાન તોડશો નહીં
એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાનું શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવે છે.
 
વડીલો અને જરૂરિયાતમંદોનું અપમાન ન કરો
દાન, સેવા અને સદભાવનાનું વિશેષ મહત્વ છે.
 

શું કરવું?

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો.
વિષ્ણુ સહસ્ત્રનામ, ગીતા પાઠ અથવા હરિનામ જાપ કરો.
ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપો.
દ્વાદશીના દિવસે વિધિપૂર્વક પારણું કરો.
 
માન્યતા છે કે નિર્જળા એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી વર્ષભરની 24 એકાદશીઓ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે
Edited By- Monica Sahu 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો