ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (13:40 IST)

Boycott RakshaBandhan અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' ના બહિષ્કારની માંગ ઉઠી,

Akshay Kumar On Boycott RakshaBandhan: સુપરસ્ટાર અક્ષય કુમાર આ દિવસો તેમની આવનારી ફિલ્મ રક્ષાબંધનને લઈને ચર્ચામાં છે. ફિલ્મને લઈને હંગામો મચી ગયો છે. રક્ષાબંધનને લઈને વિવાસ ઉઠયો અને હવે તેને બાયકોટ કરવાની માંગણી કરાઈ રહી છે. #BoycottRakshaBandhan સતત સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ રહ્યો છે. તેથી હવે અક્ષય કુમાર આ પર રિએક્શન આપતા હેટર્સને કરકરો જવાબ આપ્યો છે. ખિલાડી કુમારનો કહેવુ છે કે ફિલ્મ ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે તેથી તેની સાથે આવુ  ન કરાય. 
 
અક્ષય કુમારથી આ બોલ્યા 
અક્ષય કુમાર તાજેતરમાં કોલકત્તામાં અપકમિંગ મૂવી રક્ષા બંધનનો પ્રમોશન કરી રહ્યા હતા. તે દરમિયાન તેણે બૉયકૉટ રક્ષાબંધન ટ્રેંડ પર રિએક્ટ કર્યો. તેણે કહ્યુ કે ભારત એક સ્વતંત્ર દેશ હ્હે. જ્યાં કોઈ પણ જે ઈચ્છે છે કરી શકે છે. અક્ષય કુમારનો કહ્યુ  "जैसा कि मैंने अभी कहा कि ये एक फ्री कंट्री है और हर कोई जो चाहे कर सकता है, પરંતુ આ બધું ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે. આપણે બધા સૌથી મોટો અને મહાન દેશ બનવાની અણી પર છીએ. હું તેમને ટ્રોલર્સ અને તમે મીડિયાને વિનંતી કરું છું કે તે તેમાં ન આવે."