શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 7 જૂન 2022 (18:28 IST)

ગુજરાતમાં અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ થઈ ટેક્સ ફ્રી

ભારતના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની યશોગાથાને ઉજાગર કરતી પૃથ્વીરાજ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે, રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હવે ગુજરાતમાં પણ આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે.
 
CMOએ  કર્યુ ટ્વીટ 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથાને રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઈતિહાસને ઉજાગર કરતી હિન્દી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
 
જો કે અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. સોનુ સૂદે ફિલ્મમાં રાજકવિ ચંદબરદાઈની ભૂમિકા ભજવી છે. પૃથ્વીરાજની રિલીઝ બાદ સોનુ સૂદ હવે પોતાનો આગામી પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે, પરંતુ આ દરમિયાન તેણે ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ની નિષ્ફળતા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સોનુ સૂદે પહેલેથી જ કહ્યું છે કે તે માત્ર એક ફિલ્મ વિશે નથી, પરંતુ તે સખત મહેનત વિશે છે જે તે ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોએ ભેગા કર્યા હતા.