સંબંધિત સમાચાર
- કોરોના વાયરસ JOkes
- મુંબઇ સાથે મહારાષ્ટ્રના ચાર શહેરો સંપૂર્ણ તાળાબંધી, દિલ્હીના તમામ મોલ્સ બંધ
- અમદાવાદમાં સિવિલ કેમ્પસની ડેન્ટલ અને કિડની હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાય સેવાઓ બંધ
- Corona in Gujarat Live Update- વડોદરા રાજકોટ સુરત અને અમદાવાદના બે એમ કુલ પાંચ કેસ
- કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોના વાયરસના 2 પૉઝિટિવ કેસ, મોદીની ‘જનતા કર્ફ્યુ’ની અપીલ
હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને જમવા માટેના બે ટેબલ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું ફરજીયાત
હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસથી ફેલાતા COVID-19 અનુસંધાનમાં સંભવિત સંક્રમણ અટકાવવા આગમચેતીના ભાગરૂપે હોટેલ-રેસ્ટોરેન્ટ સહિતની ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થાઓને ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
જે અંતર્ગત કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ગ્રાહકોને જમવા માટેના બે ટેબલ વચ્ચે ફરજીયાત ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવા તેમજ હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની ભીડ ન થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે.
તદુપરાંત આ સિવાય સરકારશ્રીની અગાઉની પણ તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે, અન્યથા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
