રવિવાર, 19 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 18 ઑક્ટોબર 2025 (15:50 IST)

પાકિસ્તાનના હુમલામાં અફઘાનિસ્તાનમાં ત્રણ ક્રિકેટરોનાં મોત

પાકિસ્તાનના હુમલા
અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડ (એસીબી)એ જણાવ્યું છે કે પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ ખેલાડીઓનાં મોત થયાં છે. એસીબીએ એક નિવેદન બહાર પાડીને આ હુમલાની ટીકા કરી છે.
 
આ ઉપરાંત પાકિસ્તાનમાં નવેમ્બરમાં રમાનારી ત્રિકોણિય ટી20 સિરીઝમાંથી પણ નીકળી જવાની જાહેરાત કરી છે.
 
એસીબીએ ત્રણેય ખેલાડીઓની તસવીરો જારી કરીને જણાવ્યું કે "શુક્રવારે સાંજે પાકિસ્તાને કરેલા હુમલામાં આ ખેલાડીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા."
 
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ મુજબ "આ હુમલામાં ત્રણ ખેલાડીઓ- કબીર, સિબગતુલ્લાહ અને હારુન ઉપરાંત અન્ય પાંચ નાગરિકોનાં મોત થયાં છે."
 
બોર્ડે જણાવ્યું કે ખેલાડીઓના સન્માન અને આ દુખદ ઘટનાની પ્રતિક્રિયા રૂપે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી નવેમ્બરમાં પાકિસ્તાન સાથેની ટી20 સિરીઝમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે.
 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
 
આ ટી20 સિરીઝમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ભાગ લેવાના હતા. 17થી 29 નવેમ્બર વચ્ચે પાકિસ્તાનમાં બધી મૅચ રમાવાની હતી.