સંબંધિત સમાચાર
- Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ
- Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ
- પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા
- પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય અને કાંઠાગોરની વાર્તા
- Adhik Maas Wishes in Gujarati - અધિક માસ અને પુરૂષોત્તમ માસની શુભકામનાઓ, પવિત્ર માસમાં તમારા વોટ્સએપ પર મુકો આ સ્ટેટસ દરેકને ગમશે
ટીમ ઈંડિયા પર હવે નંબર-1 રૈકિંગ ગુમાવવાનુ સંકટ, ઈગ્લેંડ 5 મી ટી20 મેચ જીતતા જ ટૉપ પર કરી લેશે કબજો
શ્રેયસ ઐય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમની શરૂઆત કોઈ ખરાબ સપનાથી ઓછી નથી લાગી. જેમાં, 6 મેચ રમ્યા પછી, તેઓ એક પણ જીતી શક્યા નથી. ઐયરને કેપ્ટનશીપ સોંપાયા પછી, એવી આશા હતી કે ટીમ ઈન્ડિયા T20 ફોર્મેટમાં પોતાનું ચાલુ વર્ચસ્વ જાળવી શકશે, પરંતુ હવે ટીમને માથે પોતાનું નંબર-1 T20 રેન્કિંગ ગુમાવવાનો ભય ટોળાય રહ્યો છે. ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામેની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ઇંગ્લેન્ડ સામેની ચાલુ શ્રેણીમાં, તેઓ ચારમાંથી ત્રણ મેચ હારી ગયા છે, જ્યારે એક મેચ રદ કરવામાં આવી છે.
પાંચમો મુકાબલો હારતા જ ઈગ્લેંડ ટૉપ પર કરી લેશે કબજો
ICC T20 ટીમ રેન્કિંગમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના પોઈન્ટનો તફાવત ફક્ત બે પોઈન્ટનો થઈ ગયો છે. જો ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણીની અંતિમ મેચ હારી જાય છે, તો તે તેનું નંબર-1 સ્થાન ગુમાવશે. ભારતીય ટીમે 2022 માં ICC T20 ટીમ રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું હતું. આ પછી, ટીમ ઈન્ડિયાએ આ ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે, 2024 અને 2026 માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જ્યારે ભારતીય ટીમે યુકેનો પ્રવાસ શરૂ કર્યો હતો, ત્યારે તેના કુલ 275 રેટિંગ પોઈન્ટ હતા. આયર્લેન્ડ સામે શ્રેણી 2-0 થી હાર્યા બાદ, ટીમ ઈન્ડિયાના રેટિંગ પોઈન્ટ ઘટીને 272 થઈ ગયા હતા. જ્યારે ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, સતત ત્રણ મેચ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયાના રેટિંગ પોઈન્ટ હવે 269 પર પહોંચી ગયા છે. દરમિયાન, બીજી તરફ, ઈંગ્લેન્ડ સતત જીત સાથે 267 પર પહોંચી ગયું છે.
હૈરી બ્રૂક ની પણ નંબર - 1 પોઝીશન પર નજર
બ્રિસ્ટોલમાં ભારત વિરૂદ્ધ ટી20માં અજેય સરસાઈ મેળવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન હેરી બ્રુકે મેચ સમાપ્ત થયા બાદ કહ્યું કે તે આ શ્રેણીને 4-0થી જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે જેથી તે નંબર-1નું સ્થાન હાંસલ કરી શકે, જે તેની ટીમ માટે મોટી ઉપલબ્ધિ હશે. તમને જણાવી દઈએ કે આ સિરીઝની છેલ્લી મેચ સાઉથહેમ્પટનના મેદાન પર 11 જુલાઈએ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે રમાશે.
