સંબંધિત સમાચાર
- ઈરાને અમેરિકાને 14 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો: ડોનાલ્ડ ટ્રમ્પની આગામી યોજના શું છે?
- દિલ્હી પોલીસની સાયબર છેતરપિંડી કરનારાઓ પર 'સર્જિકલ સ્ટ્રાઈક': 113 લોકોની ધરપકડ, 22 કરોડનું છેતરપિંડીનો પર્દાફાશ
- લેબનાન પર ઈઝરાયલી હુમલામાં એક જ દિવસમાં 254 ના મોત, રાષ્ટ્રીય શોકનુ એલાન, ઈરાન બોલ્યુ - સીઝફાયર અને યુદ્ધ એક સાથે નથી ચાલી શકતા
- હીજબુલ્લાહ પર ઈઝરાયેલ હુમલાથી સંકટમાં પડ્યું સીઝફાયર, ઈરાને હોર્મુજને ફરી કર્યું બંધ
- ગુજરાતમાં ઈંધણ-ખાતરનો પૂરતો સ્ટોક: અફવાઓથી ન ગભરાવા અને 'પેનિક બાયિંગ' ન કરવા સરકારની અપીલ
આજે બંઘ રહેશે 15 લાખથી વધુ દવાની દુકાનો, ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં હડતાળ કરશે છુટક વેપારી
દેશભરના દવાના છૂટક વેપારીઓ આજે હડતાળ પર છે અને તેમની દુકાનો બંધ રાખશે. ગેરકાયદેસર ઓનલાઈન દવા વેચાણ, કોર્પોરેટ કંપનીઓ તરફથી વધતા પડકાર અને AI-આધારિત પ્રિસ્ક્રિપ્શનના ઉપયોગના વિરોધમાં દેશભરના 15 લાખથી વધુ દવા વિક્રેતા (કેમિસ્ટ અને ડ્રગિસ્ટ) 20 મેના રોજ તેમની દુકાનો ખોલશે નહીં. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) એ સોમવારે આ જાહેરાત કરી. થાણેમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, AIOCD ના પ્રમુખ અને ભૂતપૂર્વ વિધાન પરિષદ સભ્ય જગન્નાથ શિંદેએ જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન જારી કરાયેલા નોટિફિકેશનને પાછા ખેંચવાની માંગ કરવા માટે દેશવ્યાપી હડતાળનું આહ્વાન આપવામાં આવ્યું હતું જેના કારણે ઓનલાઈન દવા વેચાણનો દુરુપયોગ થયો હતો.
નકલી અને પ્રતિબંધિત દવાઓના ખુલ્લા વેચાણના આરોપો
જગન્નાથ શિંદેએ સ્પષ્ટતા કરી, "હડતાળ દરમિયાન, હોસ્પિટલો સાથે સંકળાયેલા દવાની દુકાનો ખુલ્લી રહેશે, અને ઈમરજેંસી દવા સેવાઓ અવરોધાશે નહીં." શિંદેએ જણાવ્યું હતું કે ઓનલાઈન વેચાણમાં નકલી દવાઓ, એન્ટિબાયોટિક્સ અને પ્રતિબંધિત/વિશેષ દવાઓનું વેચાણ પ્રિસ્ક્રિપ્શન વિના મોટા પાયે થઈ રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે, ખાસ કરીને યુવાનોમાં ગંભીર ખતરો ઉભો કરે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, "ઓનલાઈન દવાનું વેચાણ દેશ માટે ખતરનાક બની ગયું છે અને તેને પ્રાથમિકતાના ધોરણે રોકવાની જરૂર છે. વધુમાં, ઓનલાઈન કંપનીઓ દ્વારા આપવામાં આવતી ભારે છૂટ નાના અને છૂટક દવા વેચનારાઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે."
ઓનલાઈન કંપનીઓ 20 થી 50 ટકા સુધી ભારે ડિસ્કાઉન્ટની ઓફ
AIOCD ના પ્રમુખ જગન્નાથ શિંદેએ નિર્દેશ કર્યો હતો કે કેન્દ્ર સરકારે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન દર્દીઓના ઘરે સીધી દવાઓ પહોંચાડવા માટે ખાસ છૂટ આપી હતી, પરંતુ રોગચાળો સમાપ્ત થયાના વર્ષો પછી પણ તે જોગવાઈઓ ચાલુ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે ઓનલાઈન કંપનીઓ આ છૂટનો લાભ લઈ રહી છે અને 20 થી 50 ટકા સુધી ભારે ડિસ્કાઉન્ટ આપીને નાના અને છૂટક દવા વેચનારાઓના વ્યવસાયને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે કહ્યું કે બુધવાર સાંજથી દુકાનો ખુલવાનું શરૂ થશે.
