સંબંધિત સમાચાર
- શેરડીનો રસ: તપતી ગરમીનો શીતળ સાથી, વાંચો 5 ફાયદા
- Food Poison- ફૂડ પોઈજનના શિકાર થઈ જાઓ તો ગભરાઓ નહી, અજમાવો આ સરળ 5 ઘરેલૂ ઉપાય
- Health Care ઊનાળામાં રોજ તરબૂચ ખાવ અને હ્રદયને સ્વસ્થ રાખો
- આ રેસિપીને જોયા પછી તમે ક્યારે પણ તરબૂચના છાલટાને ફેંકશો નહી (Kids candy - tutti fruity
- તરબૂચ ખાઈને કરો વજન ઓછું જાણો , એવા જ 8 ટીપ્સ
ઉનાળામાં ખૂબ ખાવ તરબૂચ - જાણો તરબૂચના ફાયદા
આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તેમા ફેટ કે કેલેસ્ટ્રોલ નથી હોતો, પંતુ ફાઈબર અને પાણીનો હાઈ કંટેટ તમને બોડી સિસ્ટમમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે અને તમારી ત્વચા સ્વસ્થ તેમજ ચમકદાર બનાવે છે. સાથે જ આ આપણા શરીરના પાચન તંત્રને પ્રાકૃતિક રૂપે મજબૂત બનાવે છે.
તરબૂચમાં સાઈટો ન્યૂટ્રીશિયન જેને ‘લાયકોપેન’ કહેવાય છે, ભરપૂર પ્રમાણમાં રહે છે. લાયકોપેન મતલબ રેડ પિગમેંટ જે ટામેટામાં પણ હોય છે. આ ઘાણા પ્રકારના કેંસર ખાસ કરીને પ્રોસ્ટેટ, બ્રોસ્ટ અને લંગ કેંસરના સંકટને ઘટાડે છે. લાઈકોપેન હાર્ટ એટેકના સંકટને પણ ઓછો કરે છે.
તરબૂચમાં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં રહેલુ છે. જે કોઈપણ ઈંફેક્શનથી બચાવે છે. અસ્થમા, આર્થરાઈટિસ, કોલોન કેંસર અને ડાયાબિટીઝમાં આ ઉપચારાત્મક પ્રભાવ કરે છે. ડાયાબિટિઝ માટે તરબૂચના બીજ ફાયદાકરક સાબિત થાય છે.
તરબૂચમાં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં રહેલુ છે. જે કોઈપણ ઈંફેક્શનથી બચાવે છે. અસ્થમા, આર્થરાઈટિસ, કોલોન કેંસર અને ડાયાબિટીઝમાં આ ઉપચારાત્મક પ્રભાવ કરે છે. ડાયાબિટિઝ માટે તરબૂચના બીજ ફાયદાકરક સાબિત થાય છે.
આ પોટેશિયમનુ શ્રેષ્ઠ સ્ત્રોત છે. પોટેશિયમના સ્તરમાં ઉણપ બોડી મસલ્સમાં ક્રમ્પ્સનુ કારણ બને છે. તરબૂચમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે, આ કિડની સ્ટોનને વધતા રોકે છે અને ઓસ્ટિયોપોરોસિસ અને હાર્ટ બીટને રેગુલેટ કરે છે.
આમા રહેલા વીટા કૈરોટિનના કારણે જોવાની ક્ષમતા ખાસ કરીને રાત્રે વધે છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે વીટા કૈરોટિન અને વિટામિન-સી હાર્ટ ડિસીઝ, કેસર અને ઘણી બીજી બીમારીઓથી બચાવે છે.