સંબંધિત સમાચાર
- માધ્યમિક શિક્ષણ સમિતિનો નિર્ણયઃ હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહીં મળે
- ભાજપને બહુમતી મળ્યા બાદ કેન્દ્રમાં ગુજરાતના કયા સાંસદને કયું પદ મળી શકે
- ગુજરાતમાં 4 લાખ મત નોટામાં પડ્યા, સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં
- ઓક્ટોબરમાં ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે
- ભાવનગરમાં 8 નરાધમોએ સગીરાને પીંખી નાંખી, 3 ઝડપાયા
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગતાં 10 લોકો ફસાયા
સુરતમાં સરથાણા જકાતનાકા પાસે સ્થિત તક્ષશિલા આર્કેડમાં બીજા માળે અચાનક ભીષણ આગ લાગતા ચકચાર મચી જવા પામી છે. ભીષણ આગના કારણે આ આર્કેડમાં 10 થી વધુ લોકો ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. અહીં તાત્કાલિક ધોરણે અગ્નિશામક વિભાગના લોકોની 10 જેટલી ગાડીઓ પહોંચી ગઈ છે. આગના પગલે સિટી બસના સ્ટોપ પણ ચેન્જ કરી દેવામાં આવ્યાં છે. આગના ધૂમાડા દૂર દૂર દેખાતા લોકોમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.આગ બેકાબુ રીતે ભીષણ બનતાં મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી આવી રહી છે.
