Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા
lord krishna geeta updesh
Geeta Updesh In Gujarati: શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. ભગવાન કૃષ્ણે અર્જુન દ્વારા વિશ્વને ગીતાના ઉપદેશો આપ્યા. મહાભારતના યુદ્ધભૂમિ પર જ્યારે અર્જુનના પગલાં ડગમગવા લાગ્યા ત્યારે કૃષ્ણે અર્જુનને ગીતા શીખવી. કૃષ્ણના ઉપદેશો સાંભળીને, અર્જુન પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધ્યો. એવું કહેવાય છે કે ગીતા જીવનની દરેક સમસ્યાનું સમાધાન આપે છે. આજે પણ, ગીતામાં કૃષ્ણના શબ્દો આપણને આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે. તેથી, કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધવા અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે, વ્યક્તિએ ગીતાના કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ ગીતાના આ પાંચ મુદ્દાઓનું પાલન કરે છે તે ચોક્કસપણે દરેક પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરશે. અહીં ગીતાના અમૂલ્ય ઉપદેશો છે, જે જીવનનો નવો માર્ગ બતાવે છે...
1. પ્રેમ અને મૃત્યુ સિવાય તમે
દરેક વસ્તુની શોધ કરો
આ બંને તમને યોગ્ય સમય આવતા
જાતે જ શોધી લેશે
2. શ્રી કૃષ્ણ કહે છે
માણસની અસલી ઓળખ
પૈસા કે તાકત થી નથી થતી
મુસીબત સમયે તેનો વ્યવ્હાર
બતાવે છે કે એ કોણ છે
3. અર્જુને પુછ્યુ જો બધુ
પહેલાથી નક્કી છે તો કર્મ કેમ ?
કૃષ્ણ હસ્યા અને બોલ્યા
કારણ કે કર્મથી જ તમે તમારા
ભાગ્યને યોગ્ય બનાવો છો
4. લોકો સાથ ત્યા સુધી આપે છે
જ્યા સુધી તેમને ફાયદો મળે છે
પણ કૃષ્ણ કોઈપણ શરત વગર
સાથ આપે છે, તેથી માણસ નહી
પણ કૃષ્ણ પર વિશ્વાસ કરો
5. આકર્ષણ અનેક માટે હોઈ શકે છે
પણ સમર્પણ કોઈ એક માટે હોય છે
તેથી કહેવાય છે કે આકર્ષણની
અવધિ હોય છે પ્રેમ ની નહી...
6. જીવન કોઈની સાથે બંધાયેલુ નથી હોતુ
બંધાયેલી હોય છે આશાઓ.. ભાવનાઓ અને વિશ્વાસ
7. પાંખો તો પક્ષી પર જ સારી લાગે છે
મનુષ્યને લાગતા જ બરબાદી શરૂ થઈ જાય છે
8. દરેક કોઈ સુખની ચાવી શોધી રહ્યુ છે
પણ સવાલ એ છે કે સુખ ને તાળુ માર્યુ કોણે ?