શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2019 (00:07 IST)

પોતુ ક્યારે અને કેવી રીતે લગાવવું, જાણો 5 ખાસ વાત

ઘરમાં સાફ સફાઈ કરવા માટે દરેક ઘરમાં ઝાડૂ-પોતુંનો ઉપયોગ કરાય છે. આ બન્ને વસ્તુ ઘરમાં પ્રવેશ કરતી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાના પ્રતીક છે. તેથી અમે દરરોજ ઘરની સાફ-સફાઈ જરૂર કરવી જોઈએ. હમેશા ઝાડૂ-પોતું લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ પોતું લગાવવાથી સંબંધિત 5 
ખાસ ઉપાય...જાણો વાસ્તુ પ્રમાણે પોતું કરવાના 5 નિયમ 
1. જો તમે ઘરમાં પોતું લગાવી રહ્યા છો તો મીઠું મિક્સ કરી પોતું કરવું. આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જશે. ખરાબ તાકાતનો પણ 
 
તમારા પર કોઈ અસર નહી હશે. 
 
2. ઘરમાં રોજ પોતું લગાવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો નિવાસ થવા લાગે છે. 
 
3. ગુરૂવારે ઘરમાં પોતું કરવાથી દેવી લક્ષ્મી રિસાઈ જાય છે. 
 
4. પોતું લગાવતા પાણીમાં પાંચ ચમચી સમુદ્ર મીઠું મિક્સ કરવાથી જલ્દી સકારાત્મક અસર જોવા મળે છે અને નકારાત્મક ઉર્જાને ઓછું કરાઈ શકે છે. 
 
5. ઘરમાં દરરોજ મીઠું મિક્સ પાણીથી પોતું લગાવવું શુભ ગણાય છે.