વાસ્તુશાસ્ત્રના નિયમોને જીવનમાં લાગુ પાડવાથી તમે તમારી સંપત્તિ અને પૈસા વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃધ્ધિમાં વધારો થાય છે. આ ટિપ્સ ખૂબ જ સરળ અને પ્રભાવી છે કે જેના ઉપયોગથી તમે તમારા જીવનની તમામ પરેશાનીઓ ખતમ કરી શકો છો. સંપત્તિ વધારવાની વાસ્તુ ટિપ્સ. – ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે, આ દિશાની દિવાલોનો રંગ વાદળી હોવો જોઈએ. – પાણીનું સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ. - ઘરના વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે. -ઘરનું કેન્દ્ર જેન બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન મુકવુ. – પાણીની ટાંકીમાં શંખ, ચાંદીનો સિક્કો અથવા ચાંદીનો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે. - દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ વધારનારો છે. જો ઘરમાં માછલીઘર હોય તો તેને ઉત્તર દિશામાં રાખો. – કુબેરની ચોક્કસ દિશા હોય છે માટે તિજોરી ઉત્તર દિશામાં રાખો. – ઉત્તર દિશામાં વાદળી રંગનો પિરામિડ રાખશો તો સંપત્તિનો લાભ થશે.