શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 29 જુલાઈ 2022 (00:41 IST)

Vastu Tips- ઘરમાં લાગેલા મની પ્લાંટમાં બાંધી દો આ લાલ દોરો, ખૂબ વરસશે પૈસા, આ વાતોનો ધ્યાન રાખો.

Money Plant Vastu Tips: તમારા ઘરમાં સજાવટ માટે લોકો મની પ્લાંટનો વૃક્ષ લગાવે છે. તેના પાન જોવામાં ખૂબ સુંદર હોય છે. તેના કારણે લોકો બાલકની કે રૂમમાં મની પ્લાંટના છોડ લગાવે છે. આ છોડની એક ખાસિયત આ પણ છે કે આ માટી અને પાણી બન્નેમાં જ હોઈ શકે છે. સુંદરતાના સિવાય વાસ્તુના મુજબ પણ મની પ્લાંટનો ખૂબ મહત્વ છે. આવુ માનવામાં આવે છે કે મની પ્લાંટને લગાવવાથી પૉઝિટિવ એનર્જીનો સંચાર હોય છે. વાસ્તુમાં મની પ્લાંટને લઈને ઘણા ઉપાય જણાવ્યા છે. જેનાથી તેને લગાવવાથી લાભ વધી જાય છે આવો જણાવે છે કે આ ઉપાયો વિશે. 
 
મની પ્લાંટમાં બાંધવો લાલ દોરો 
વાસ્તુ મુજબ મની પ્લાંટને ઘરમાં લગાવવાથી લક્ષ્મીનો વાસ થાય છે. એવુ માનવુ છે કે મની પ્લાંટનો સંબંધ શુક્રથી થાય છે. તેથી તેને ઘરમાં લગાવવાતી સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે. વાસ્તુ મુજબ મની પ્લાંટના છોડમાં લાલ રંગનો દોરો કે નાડાછડી બાંધવો શુભ હોય છે. તમે ઘરમાં લાગેલા મની પ્લાંટમાં લાલ રંગનો દોરો બાંધી દો. આવુ કરવાથી ઘરમાં ખૂબ સમૃદ્ધિ થશે અને વધા પ્રકારની સમસ્યાઓ પણ દૂર થઈ જશે. તે સિવાય આવુ પણ કહેવામાં આવે છે કે દોરો બાંધવાથી મની પ્લાંટનો છોઅ તીવ્રતાથી વધવા લાગે છે. 
 
આ નિયમોનો કરવો પાલન 
પણ મની પ્લાંટના છોડમાં આમ જ લાલ દોરો નહી બાંધવો. તેને બાંધવા માટે કેટલાક નિયમોનો પાલન કરવો જરૂરી છે. તમે શુક્રવારના દિવસ સવારે પરવારીને માતા લક્ષ્મીજીની ધૂપ -દીવો પ્રગટાવીને પૂજા કરવી. જે દોરાને મની પ્લાંટમાં બાંધવો છે તેને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરવો. તે પછી માતા લક્ષ્મીની આરતી કરવી. તમે લાલ દોરા પર કંકુ રોલીથી ચાંદલો પણ કરી શકો છો. તમે આ દોરાને મની પ્લાંટના મૂળની પાસે બાંધી દો. આવુ કરવાથી થોડા જ દિવસો પછી જ તમને તેના ફાયદા જોવાવા શરૂ થઈ જશે. 
 
આ દિશામાં લગાવો મની પ્લાંટ 
તેની સાથે જ મની પ્લાંટના છોડને હમેશા યોગ્ય દિશામાં જ લગાવવો જોઈએ. વાસ્તુ શાસ્રના મુજબ જો કોઈ વસ્તુનો લાભ મેળવવો છે તો તેને યોગ્ય દિશામાં લગાવવો જરૂરી હોય છે. વાસ્તુના મુજબ, મની પ્લાંટને લગાવવાની સૌથી ઉત્તમ દિશા આગ્નેય ખૂણામા% લગાવવો જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.