શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. મોરબી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 24 નવેમ્બર 2022 (14:37 IST)

મોરબી અકસ્માત બાદ ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, રાજ્યના તમામ બ્રિજના સર્વેનો આદેશ

ગુજરાતના મોરબીમાં થયેલા ભયાનક પુલ અકસ્માત બાદ હાઈકોર્ટે ભૂપેન્દ્ર સરકારને રાજ્યના તમામ પુલનો સર્વે કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે કેટલા બ્રિજ યોગ્ય સ્થિતિમાં છે? હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી માંગી છે, જેમાં એ ઉલ્લેખ કરવામાં આવે કે તેમાંથી કેટલા સમાન સ્થિતિમાં છે. સોંપવામાં આવેલા રિપોર્ટ પ્રમાણિત હોવો જરૂરી છે અને તેને હાઈકોર્ટ સમક્ષ મુકવાની જરૂર છે.
 
ગુજરાત હાઈકોર્ટે મોરબી અકસ્માતના વળતરમાં વધારો કરવા કહ્યું
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે કેસના અહેવાલને જોયા બાદ અમારું માનવું છે કે મૃતકો અને ઈજાગ્રસ્તોના સંબંધીઓને આપવામાં આવતા વળતરમાં વધારો થવો જોઈએ. કોર્ટે અવલોકન કર્યું કે આ તબક્કે ઇજાગ્રસ્તોને વળતર તરીકે રૂ. 50,000 પણ નજીવા છે. ઇજાઓનું વિવરણ, હોસ્પિટલમાં દાખલ, સારવારની વિગતો વચગાળાના રિપોર્ટમાં સામે આવી નથી.
 
30 ઓક્ટોબરે થયો હતો આ અકસ્માત
તમને જણાવી દઈએ કે 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો બ્રિટિશ સમયનો પુલ ધરાશાયી થયો હતો, જેમાં 47 બાળકો સહિત 140થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં તેના બે સંબંધીઓને ગુમાવનાર વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટ સીબીઆઈ તપાસ, તેમના પરિવારના સભ્યોને ગુમાવનારાઓને સન્માનજનક વળતર અને મ્યુનિસિપલ અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરી રહી હતી.