સંબંધિત સમાચાર
- દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)
- Hanuman Chalisa : હનુમાન ચાલીસા જીવનના દરેક અવરોધો દૂર કરશે
- Kamada Ekadashi Vrat Katha - આ કથા વગર અધુરૂ છે કામદા એકાદશીનુ વ્રત
- Importance of Chaitra Navratri - ચૈત્રી નવરાત્રીનુ મહત્વ
- Hindu Dharm - ઘરની બહાર નીકળતી વખતે પહેલા આ પગ મુકો બહાર, કિસ્મત ચમકી જશે
પીપળાની પૂજા સાંજે કેટલા વાગે કરવી જોઈએ ? ભૂલથી પણ આ સમયે ન કરશો પીપળાની પૂજા નહી તો પાણીની જેમ વહી જશે પૈસો
Peepala Ni Puja Kyare Karvi : સનાતન ધર્મમાં પીપળને પૂજનીય અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અને શાસ્ત્રો અનુસાર પીપળની જડમાં ભગવાન વિષ્ણુ, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં ભગવાન હરિ અને ફળોમાં તમામ દેવતાઓનો વાસ છે. એટલા માટે તેની પૂજા ખૂબ જ ફાયદાકારક છે. માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષની પૂજા કરવાથી જીવનમાં આવતા કષ્ટો અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત પાપકર્મોથી પણ મુક્તિ મળે છે. જો પીપળાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે તો મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ વરસાવે છે. બીજી તરફ, શનિવારે સવારે નિયમિતપણે પીપળાને જળ અર્પણ કરવું અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિની મહાદશામાંથી મુક્તિ મળે છે.
આ સમયે ન કરવી પીપળાની પૂજા
ક્યારેય પણ સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષની પૂજા બિલકુલ પણ ન કરવી જોઈએ. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલા અલક્ષ્મી પીપળાના વૃક્ષમાં વાસ કરે છે, જે દરિદ્રતાનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમે સૂર્યોદય પહેલા પીપળાની પૂજા કરો છો તો ઘરમાં હંમેશા દરિદ્રતા અને જીવનમાં સમસ્યાઓ રહે છે. એટલા માટે સૂર્યોદય પહેલા પીપળાની પૂજા ન કરવી જોઈએ અને ન તો આ વૃક્ષની નજીક જવું જોઈએ. આટલું જ નહીં રવિવારે પીપળાના ઝાડને ક્યારેય પણ જળ ચઢાવવું નહીં.
પીપળાની પૂજા ક્યારે કરવી જોઈએ?
શાસ્ત્રો અનુસાર પીપળાની પૂજા હંમેશા સૂર્યોદય પછી જ કરવી જોઈએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પીપળાના ઝાડની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે શત્રુઓનો પણ નાશ થાય છે. આ પૂજા કરવાથી ગ્રહદોષ, વિઘ્નો, કાલસર્પ દોષ, પિતૃદોષ પણ શાંત રહે છે.
ये भी पढ़ें