ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (13:16 IST)

Nag panchami 2023 - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

naag panchami
Nag panchami 2023 - નાગ પાંચમ પર ઘણા કાર્યોને નિષેધ જણાવ્યા છે. 
 
- માન્યતા  છે કે નાગપાચમના દિવસે ચૂલ્હા પર લોખંડની કડાહી કે તવો નહી રાખવું જોઈએ.
 
કહેવાય છે કે  આ દિવસે નાગદેવતા ભૂમિ પર ફરે છે  તેથી આ દિવસે ભૂમિ  ખોદવી કે  હળ ચલાવવું  ન જોઈએ 
 
આ દિવસે કપડા સીવા કે કઈક કાપવું પણ નહી જોઈએ. 
 
શાસ્ત્રો મુજબ નાગ પાચમ પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. આ દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ પ્રધાન જાગૃત થઈ જાય છે. 
 
આ સ્પન્દન  દેવતાઓના તત્વ કાર્યમાં બાધા બની જાય છે. આથી વાતાવરન અપવિત્ર થાય છે. નાગ પાંચમ પર નિષેધ કાર્યો કરતા સમિષ્ટ પાપના ભાગી બને છે. 

નાગ પચમીનાં દિવસે શું કરવુ  ? 

નાગપંચમીના દિવસે નાગની પૂજા કરીને ચાંલ્લો કરવામાં આવે છે. આ સાથે કુલેરથી પૂજા કરવામાં આવે છે. નાગપંચમીના દિવસે વાંચવાનું પણ મહત્વ રહેલું હોય છે. તો તમે પણ આ રીતે કુલેર બનાવો.
 
સામગ્રી - એક કપ બાજરીનો લોટ અડધો કપ ગોળ
બનાવવાની રીત - નાગ પાંચમના દિવસે કુલરે બનાવવા માટે સૌ પ્રથમ બાજરીનો લોટ લો અને ચાળી લો. આ લોટને થાળીમાં લઇ લો. હવે એક બાઉલ લો અને એમાં ગોળ ચાકુની મદદથી છીણી લો. ત્યારબાદ આ ગોળમાં ઘી નાખો અને બરાબર ફીણી લો. આમ કરવાથી કુલેરનો સ્વાદ મસ્ત આવે છે.
હવે આ મિશ્રણમાં બાજરીનો લોટ નાખીને મસળી લો. આ ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરી લો.
 
મિક્સ કર્યા પછી તમને ઘી ઓછુ લાગે છે તો તમે થોડુ એડ કરી શકો છો. ખાસ ધ્યાન એ રાખો કે એક સાથે ઘી એડ કરવાનું નથી. થોડુ-થોડુ ધી ઓછુ લાગે તો એડ કરવાનું છે. આ લોટમાંથી નાની-નાની લાડુડી વાળી લો. તો તૈયાર છે બાજરીના લોટની કુલેર.