શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2024 (00:38 IST)

Papmochani Ekadashi 2024: પાપમોચિની અગિયારસનુ વ્રત ક્યારે રાખવામાં આવશે. અહી જાણો તિથિ, શુભ મુહુર્ત અને પારણાનો સમય

Papmochani Ekadashi
Papmochani Ekadashi 2024: હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. દરેક મહિનામાં આવતી એકાદશીનું નામ અલગ-અલગ છે. તેવી જ રીતે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની તિથિએ આવતી એકાદશીને પાપમોચિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ કે કયા દિવસે પાપમોચિની એકાદશીનું વ્રત કરવામાં આવશે અને  શુભમુહુર્ત તેમજ પારણનો સમય કયો રહેશે.
 
પાપમોચિની એકાદશી 2024નો શુભ મુહુર્ત અને પારણાનો સમય
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શરૂ  - 4 એપ્રિલ સાંજે 04:16 થી
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ સમાપ્ત  - શુક્રવાર, 5 એપ્રિલ રાત્રે 01:28 કલાકે
પાપામોચિની એકાદશી તારીખ- 5 એપ્રિલ 2024
 
ભગવાન વિષ્ણુની પૂજા માટેનો શુભ સમય - સવારે 7.41 થી 10.49 સુધી
પાપામોચિની એકાદશી ઉપવાસનો સમય - 6 એપ્રિલ સવારે 6:05 થી 08:37 વચ્ચે
 
પાપમોચિની એકાદશી વ્રતનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. પાપમોચિની એકાદશીના દિવસે ઉપવાસની સાથે લક્ષ્મીનારાયણની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ. એકાદશીના વ્રતની કથા પણ સાંભળો. આમ કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને તેનું ઘર હંમેશા ધન અને સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે.