બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 22 માર્ચ 2022 (00:04 IST)

જાણો મંગળવારે શુ કરવું ફાયદો કરે છે અને શુ કરવાથી નુકશાન થઈ શકે છે

અઠવાડિયાના બધા વારમાં મંગળવાર ઉગ્ર ગણાય છે. જ્યોતિષ મુજબ આ દિવસ મંગળ ગ્રહનો હોય છે તો તેમજ ધાર્મિક માન્યતા મુજબ મંગળવારના દિવસ હનુમાનજીને 
 
સમર્પિત કરાય છે. મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાથી મંગળ ગ્રહનો દોષ દૂર હોય છે અને આર્થિક અને બીજી સમસ્યાઓથી મુક્તિ મળે છે. આ દિવસે કેટલીક 
 
વાતોની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. જ્યાં આ દિવસે કેટલાક કાર્ય કરવાથી પરેશાનીથી છુટકારો મળી શકે છે તો આ દિવસે કેટલાક કાર્ય વર્જિત ગણાય છે. તમે આ 
 
જાણકારીના અભાવમં કે જાણા અજાણી મંગળવારે આ કાર્ય કરો છો તો તમને સમસ્યાઓનો સામનો કરવુ પડી શકે છે. તો ચાલો જાણીએ મંગળવારે શુ કરવુ રહે છે શુભ અને શું 
 
કરવાથી નુકશાન ઉઠાવવુ પડી શકે છે. 
 
મંગળવારે કરવુ આ કાર્ય 
મંગળવારના દિવસ ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરી હનુમાનજીને લગાવવુ જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ આ કાર્ય માત્ર પુરૂષને જ કરવું જોઈએ. તેનાથી હનુમાનજી પ્રસન્ન 
 
હોય છે અને તેમના ભક્તોના બધા સંકટ દૂર કરે છે. 
 
મંગળવારના દિવસ મંગળ ગ્રહનો હોય છે અને જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ભવન, ધરતી, પરાક્રમ, શૌર્ય અને સાહસનો પ્રતીક ગણાય છે. તેથી આ દિવસે શસ્ત્ર અભ્યાસ શૌર્યના 
 
કાર્ય, અચણ સંપત્તિ, લગ્ન કાર્ય કે કેસની શરૂઆત કરવુ યોગ્ય રહે છે. 
 
મંગળવારના દિવસ દક્ષિણ, પૂર્વ, આગ્નેય દિશામાં યાત્રા કરી શકાય છે. તે સિવાય આ દિવસે વિજળી, આગ કે ધાતુઓથી સંબધિત વસ્તુઓની ખરીદ-વેચ કરવુ યોગ્ય રહે છે. 
 
મંગળવાર જાણો શુ નહી કરવું  ?  શું ખાસ છે મંગળવારે 
મંગળવાર : મંગળવાર સેક્સ માટે ખરાબ છે. તેથી આ દિવસે સેક્સ કરવાનું ટાળવુ જોઈએ. મંગળવારને ઘણા ધર્મોમાં બ્રહ્મચર્યનો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે તમે સેક્સ મનથી કરી પણ નહી શકો. આ દિવસ શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે. 
 
મંગળવારે ભૂલીને પણ માંસ, દારૂ કે કોઈ પણ પ્રકારની નશીલી વસ્તુઓનો સેવન નહી કરવુ જોઈએ 
 
હોઈ શકે તો મંગળવારે મીઠ ન ખાવુ જોઈએ. માનવુ છે કે તેનાથી સ્વાથય પર વિપરીત અસર પડે છે અને કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવુ પડે છે. 
 
મંગળવારના દિવસે ગુસ્સા નહી કર્વુ જોઈએ. અને ન જ કોઈને અપશ્બ્દ બોલવા જોઈએ. 
મંગળવારે કોઈ વ્યક્તિને ઉધાર ન આપવુ જોઈએ. આ દિવસે આપેલ ઉધાર પરત આવવામાં ખૂબ પરેશાની હોય છે.