1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રી
Written By

Maha Ashtami Upay: ખૂબ મેહનત કર્યા પછી પણ આવક નથી વધી રહી છે, તો મહાષ્ટમી પર અજમાવી લો આ 5 ટોટકા બદલી જશે કિસ્મત

chitra navratri
મહાઅષ્ટમીનુ ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાના 8મા રૂપમાં મારા મહાગૌરીની પૂજા કરાય છે. આ દિવસને  મહા દુર્ગાષ્ટમી પણ કહેવાય છે. ખૂબ શ્રદ્ધાળુઓ આ દિવસે કન્યાઓને ભોજન કરાવીને તેમની નવરાત્રના ઉદ્યાપન કરાવે છે. આ વખતે મહાષ્ટમી પર્વ 29 માર્ચને ઉજવાશે. કહે છે કે મહાષ્ટમીના દિવસે કેટલાક 
 
ટોટકા કરી લેવાથી દરિદ્રતા અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. આવો જાણીએ તે ટોટકા શું છે. 
 
મહાઅષ્ટમીની ચમત્કારિક ઉપાય 
અષ્ટમી પર હવન અવશ્ય કરવો
 
સનાતન ધર્મમાં નવરાત્રીના ઉપવાસ કરવા માટેની કોઈ યોગ્ય પ્રક્રિયા નથી. જો તમે મહાઅષ્ટમીના દિવસે પારણા કરતા હોવ તો તે દિવસે
 
હવન અવશ્ય કરવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે અને ખરાબ શક્તિઓ ઘરથી દૂર રહે છે.
 
આઠમના દિવસે સંધિ પૂજા કરવી શુભ 
મહાઆઠમના દિવસે સંધિ પૂજા કરવી શુભ ગણાયા છે. આ દિવસે સવારે બપોરે અને સાંજના સમયે માતા ભગવતીની આરતી કરવી જોઈએ. જ્યારે સંધિ આરતી રાતમાં અષ્ટમી તિથિના સમાપન અને નવમી તિથિની શરૂઆતમાં કરાય છે. 
 
પતિ પત્ની વચ્ચે દૂર થશે તનાવ 
પતિ-પત્ની વચ્ચે વારંવાર અણબનાવ થતો હોય તો અષ્ટમીનો ઉપાય (Maha Ashtami Upay) તેમની પરેશાનીઓ દૂર કરી શકે છે. તેના માટે તેણે મહાઅષ્ટમીની રાત્રે માતા દુર્ગાની મૂર્તિ પા સોળ શ્ર્રંગાર કરવા જોઈએ. માનવુ છે કે આવુ કરવાથી પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મજબૂતી આવે છે. 
 
માતા દુર્ગાના ચરણોમાં કમળ ચઢાવો 
માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે મહાષ્ટમીની રાત્રે કમળના 8 ફૂળ માતા દુર્ગાના ચરણોમાં અર્પિત કરી દેવા જોઈએ. કહેવાઅ છે કે આવુ કરવાથી માણસની બધી મનોકામના પૂર્ણ થવા લાગે છે. સાથે જ સારા આરોગ્ય અને પરિવારની પ્રમોશનના રસ્તા પર ખુલે છે. 

(Edited By -Monica Sahu)