સંબંધિત સમાચાર
- IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા શુભમનના ફેન્સ માટે સારા સમાચાર, જલ્દી શરૂ થઈ શકે છે પ્રેક્ટિસ
- અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે અડપલાનો આક્ષેપ, શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ
- રાજ્યવેરા કમિશનર કચેરીની ઓફિસમાં કર્મચારીઓની દાળવડા મંગાવવા મંજુરી માંગતી અરજી વાયર
- અમદાવાદમાં એક્ટિવા પર જતી બે યુવતીઓને દારૂડિયાએ છુટી બોટલ મારી, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
- વર્લ્ડ કપ જોવા માટે મેટ્રોથી સ્ટેડિયમ સુધી કેવી રીતે જવું, સરળ પડશે
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે બે વાગ્યા સુધી દોડશે
અમદાવાદ શહેરમાં હવે ગરબા પણ મોડી રાત સુધી રમી શકાશે ત્યારે અમદાવાદ મેટ્રો ટ્રેન આજથી 23મી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી દોડશે. 10 વાગ્યા બાદ 20 મિનિટના અંતરે બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન દોડાવાનો નિર્ણય લેવાયો છે.
સામાન્ય રીતે અમદાવાદમાં સવારે 6.20થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડે છે. શહેરમા મેટ્રો ટ્રેનની સેવા સવારે 6.20થી સવારે 7 વાગ્યા સુધી 20 મિનિટનાં અંતરાલ પર તથા સવારે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. હવે નવરાત્રિને લઈને આજથી 23 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન સવારે 6.20થી મધ્યરાત્રિના 2 વાગ્યા સુધી દોડશે. જેનાથી ખેલૈયાઓ તથા મુસાફરોને અવરજવરમાં સરળતા રહેશે.
17 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20થી રાત્રિના 10 કલાક દરમિયાન રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે. તેમજ રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રીના 2 વાગ્યા સુધી દરેક મેટ્રો સ્ટેશનથી 20 મિનિટનાં અંતરાલ પર ઉપલબ્ધ રહેશે. બંને કોરિડોરમાં દરેક ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય મધ્યરાત્રિના 2 વાગ્યાનો રહેશે.
