સંબંધિત સમાચાર
- અમદાવાદ-ગાંધીનગરની બેઠકોમાં વ્યસ્ત રહ્યા અમિત શાહ, વિકાસથી લઈને આધ્યાત્મિક સાહિત્ય પ્રસાર સુધી આપ્યું માર્ગદર્શન
- ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: 72 IAS અધિકારીઓની સાગમટે બદલી, જાણો કોને ક્યાં મળી જવાબદારી
- ગુજરાતીઓ સાવધાન! આગામી 3 દિવસ આકરી ગરમીની આગાહી, રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ
- GSEB બોર્ડ રિઝલ્ટ 2026: ધોરણ 10 અને 12ના 15 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, જાણો ક્યારે આવશે પરિણામ
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન: તાલુકા પંચાયતમાં સૌથી વધુ 62.38% અને મનપામાં 49.02% મતદાન, 25 હજાર ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી ફેરબદલ: સામાન્ય વહીવટ વિભાગનું જાહેરનામું
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વરિષ્ઠ IAS અધિકારીઓની બદલી, નવી નિમણૂકો અને વધારાના ચાર્જ સોંપવા અંગેનું એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ વહીવટી ફેરફાર અંતર્ગત બી. એ. શાહની કાયમી બદલી કરવામાં આવી છે, જ્યારે 2014 ની બેચના IAS અધિકારી અરવિંદ વી.ને નાણાં વિભાગમાં નવી જવાબદારી સોંપાઈ છે. આ સાથે જ આર્દ્રા અગ્રવાલ અને ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણ જેવા વરિષ્ઠ અધિકારીઓને પણ મહત્વના વિભાગોનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ડૉ. રતનકંવર ગઢવીચરણને ન્યુટ્રિશન મિશનનો વધારાનો ચાર્જ સોંપાયો
હાલમાં ગાંધીનગર ખાતે કમિશનર ઓફ હેલ્થ (રૂરલ) અને નેશનલ હેલ્થ મિશનના એક્સ-ઓફિસિયો મિશન ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને સરકાર દ્વારા વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને હવે 'કમિશનર, ન્યુટ્રિશન મિશન'નો વધારાનો કાર્યભાર સોંપાયો છે. વહીવટી સરળતા માટે સરકાર દ્વારા આ પદને રાજ્ય સરકારના 'સેક્રેટરી' (સચિવ) સમકક્ષ જાહેર કરવામાં આવ્યું છે.
IAS બી.એ. શાહની કાયમી બદલી અને આર્દ્રા અગ્રવાલને નવી જવાબદારી
અત્યાર સુધી ગાંધીનગરના સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ તરીકે સેવા આપતા IAS બી.એ. શાહ, જેઓ જમીન સુધારણા કમિશનરનો વધારાનો ચાર્જ સંભાળતા હતા, તેમની હવે કાયમી ધોરણે કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ તેમજ મહેસૂલ વિભાગના એક્સ-ઓફિસિયો સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. બી.એ. શાહની બદલી થવાના કારણે ખાલી પડેલી સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સની જગ્યાનો વધારાનો ચાર્જ જી.એ.ડી. (પ્લાનિંગ)ના સેક્રેટરી IAS આર્દ્રા અગ્રવાલને સોંપવામાં આવ્યો છે.
નાણાં વિભાગમાં અરવિંદ વી.ની નિમણૂક: ડૉ. પ્રશાંત જીલોવા ચાર્જમાંથી મુક્ત
વર્ષ 2014 ની બેચના IAS અધિકારી અરવિંદ વી.ની સચિવાલય, ગાંધીનગર ખાતે નાણાં વિભાગ (બજેટ)ના સંયુક્ત સચિવ (Joint Secretary) તરીકે નવી નિમણૂક કરવામાં આવી છે. આ નવી જવાબદારીની સાથે-સાથે તેમને અમદાવાદના એડિશનલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. આ નવી વહીવટી ગોઠવણના પરિણામે હવે IAS ડૉ. પ્રશાંત જીલોવા સ્ટેટ ટેક્સના વધારાના ચાર્જમાંથી મુક્ત થશે.
