ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 11 માર્ચ 2020 (15:34 IST)

સાવધાન- તમારા મોબાઈલ સ્ક્રીન પર પણ હોઈ શકે છે કોરોના વાયરસ

કારણકે કોરોના વાયરસ ખૂબ નવુ છે. તેથી એક્સપર્ટ પણ આ વિશે વધારે નહી જાણતા. પણ તે આ વિશે જાણકારી આપી રહ્યા છે કે કોરોના કેવી રીતે ફેલે છે તેનાથી કેવી રીતે બચાવી શકાય છે. 
 
અમારા વાળની પહોળાઈથી પણ આશરે 900 ગણુ નાનું વાયરસ આખી દુનિયામાં હંગામો મચાવી રહ્યુ છે. 60થી વધારે દેશ તેની ચપેટમાં છે. તેમાં ભારત પણ શામેલ છે. ત્યારે આ જાણવું જરૂરી છે કે કોરોના કેવી રીતે ફેલે છે. જેથી તેનાથી બચી શકાય છે. જાણો એવા જ કેટલાક સવાલ અને તેમના જવાબ 
 
તમે એક ભીડ વાળી કરિયાણાની દુકાન પર પહોંચો છો. એક ખરીદારને કોરોના છે. ત્યારે કઈ એક કારણથી તમને સંક્રમણનો ડર સૌથી વધારે છે? જાણકારો મુજબ આ નિર્ભર કરે છે કે તમે દર્દીના કેટલા નજીક છો. શું દર્દીની ખાંસી કે છીંકના કેટલાક છાંટા તમારા પર પડયા છે. અને શું તમે તમારા ચેહરા અને નાક-મોઢાને કેટલી વાર છુઓ છો. તેમાં તમારા આરોગ્ય અને ઉમ્રની પણ મુખ્ય ભૂમિકા છે. જો તમે વૃદ્ધ છો અને હાઈપરટેંશનના શિકાર છો તો તેનાથી ખતરો વધી જાય છે. 
 
વાયરલ ડ્રાપલેટ શું છે 
આ વિષાણુઓથી યુક્ત એક ટીંપા છે જે ખાંસી કે છીંકથી એક દર્દીથી બીજા સ્વસ્થ માણસ સુધી પહોંચે છે. તેમાં એક કોશિકાથી એક માઈક્રોબ સંકળાયેલો હોય છે. જે પરજીવીની રીતે એક બીજાને સંક્રમિત કરે છે. એક ખુલ્લો વાયરસ પોતે ક્યાં પણ નહી જઈ શકે છે. તેને ફેલવા માટે બલગમ કે લારની જરૂર હોય છે. ખાંસી, છીંક, હંસવુ ગાવુ કે શ્વાસ લેવું અને વાત કરતા સમયે મોંઢા કે નાકથી બલગમ લાર નિકળે છે તમારા શરીર સુધી ફેલવા માટે આ તમારી આંખ, નાક કે મોઢાના સહારા લે છે. મોઢાથી મોઢા જોડી વાત કરવી કે ખાવુંપીવુ શેયર કરવું પણ વાયરસના ખતરાને વધારે શકે છે. 
 
દર્દીના કેટલા પાસ થવું થશે કોરોના વાયરસનો ખતરો?
વર્લ્ડ હેલ્થ र्ર્ગેનાઇઝેશન (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) ના પ્રવક્તા ક્રિશ્ચિયનની માને દર્દીથી ઓછામાં ઓછા 3 ફીટની દૂરી રાખવી.