શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (16:49 IST)

Janmashtamiના દિવસે રાત્રે 12 વાગ્યે રાશિ મુજબ શ્રીકૃષ્ણને ભોગ લગાવો, મનોકામના પૂરી થશે

ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિના રોજ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 25 ઓક્ટોબર ગુરૂવારે  છે.  જ્યોતિષ મુજબ જો આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને રાત્રે 12 વાગ્યે રાશિ મુજબ ભોગ લગાવાય તો ભક્તની દરેક મનોકામના પૂરી થઈ શકે છે.   જાણો રાશિ મુજબ શ્રીકૃષ્ણને કઈ વસ્તુઓનો ભોગ લગાવશો.. 
 
મેષ - આ રાશિના લોકો ભગવાન શ્રીકૃષ્ણને લાડુ અને દાડમનો ભોગ લગાવો તો સારુ રહેશે. 
 
વૃષભ - આ રાશિના લોકો શ્રીકૃષ્ણને રસગુલ્લાનો ભોગ લગાવશો તો તેમની મનોકામના પુર્ણ થઈ શકે છે. 
 
મિથુન - આ રકમના લોકો કાજુની મીઠાઈ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરે. 
 
કર્ક - આ રાશિના લોકો શ્રીકૃષ્ણને માવાની બરફી અને નારિયળનો ભોગ લગાવે 
 
સિંહ - સિંહ રાશિના લોકો ગોળ અને કેળા તેમજ બેલનુ ફળ ભગવાન શ્રીકૃષ્ણને ભોગમાં અર્પણ કરે. 
 
કન્યા - આ રાશિના લોકો પ્રભુ શ્રીકૃષ્ણને તુલસીન પાન અને નાશપાતી અથવા કોઈ પણ લીલા ફળનો ભોગ લગાવે. 
 
તુલા - આ રાશિના લોકો શ્રીકૃષ્ણને કલાકંદ અને સફરજનનો ભોગ લગાવે તો તેમની સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. 
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિવાળા ગોળની રેવડી અને અન્ય કોઈ ગોળની મીઠાઈનો નૈવેદ્ય ચઢાવે. 
 
ધનુ - આ રાશિના લોકો શ્રીકૃષ્ણને બેસનની બરફી કે અન્ય કોઈ બેસનની મીઠાઈનો ભોગ લગાવે. તેનાથી તેમના સૌભાગ્યમં વૃદ્ધિ થવાના યોગ બની શકે છે. 
 
મકર - આ રાશિના લોકો ભગવાન શ્રીકૃષ્ણને ગુલાબ જાંબુ કે કાળી દ્રાક્ષનો ભોગ લગાવે. 
 
કુંભ - આ રાશિના લોકો શ્રીકૃષ્ણને ચોકલેટી રંગની બરફી અને ચીકુ ચઢાવે. 
 
મીન - મીન રાશિના લોકો ભગવાન શ્રીકૃષ્ણને જલેબી કે કેળાનો નૈવૈદ્ય ચઢાવે. તેનાથી તેમના અટવાયેલા કામ પુરા થવાની શક્યતા બની શકે છે.