મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગાઇડ
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2022 (16:11 IST)

દયાબેન, મેહતા સાહેબ પછી હવે ટપ્પુ પણ છોડશે Taarak Mehta Ka Ooltah Chashmah

raj anandkat
Raj Anandkat Quits TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 14 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ 14 વર્ષોમાં, જ્યાં આ શોએ સફળતાના નવા ઝંડા લગાવ્યા છે, ત્યાં ઘણા કલાકારોની વિદાયને કારણે તેની લોકપ્રિયતા પર થોડી પણ ચોક્કસ અસર થઈ છે.  અત્યાર સુધી અટકળો હતી કે ટપ્પૂ એટલે કે રાજ અનાદકટ  (Raj Anadkat) પણ આ શો માંથી વિદાય લેવાનો છે અને હવે તે લગભગ કન્ફર્મ થઈ ગયુ છે. 

દયાબેન, મેહતા સાહેબ પછી હવે ટપ્પુએ છોડ્યો  શો 
ટપ્પુનું પાત્ર ઘણા સમયથી શોમાં દેખાતું નથી. શોમાં તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે ટપ્પુ અભ્યાસ માટે મુંબઈની બહાર જઈ રહ્યો છે. પરંતુ વાસ્તવમાં એવા સમાચાર હતા કે તેણે હવે આ શોને અલવિદા કહી દીધું છે, અત્યાર સુધી તેના પર માત્ર વાતો જ થઈ રહી છે, પરંતુ હવે સમાચાર આવ્યા છે કે રાજ અનડકટને બોલિવૂડમાં પોતાનો રસ્તો મળી ગયો છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ માહિતી આપી હતી. તે રણવીર સિંહ સાથે એક મોટા પ્રોજેક્ટમાં જોવા મળવાનો છે, હાલમાં તે પ્રોજેક્ટ વિશે વધુ ખુલાસો થયો નથી.
 
આ સાથે જ એ સ્પષ્ટ થઈ ગયુ છે કે દયાબેન મેહતા સાહેબ પછી હવે ટપ્પુ પણ આ શોમાંથી અલગ થઈ ગયો છે અને જલ્દી જ મોટા પડદા પર મોટા સ્ટાર્સ સાથે આપણે તેને જોઈશુ. 

c
                                                                     
ઘણા કલાકારો છોડી ચુક્યા છે આ શો 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તેના અનોખા પાત્રો અને જબરદસ્ત કાસ્ટને કારણે દરેકનો ફેવરિટ રહે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. આમાંના કેટલાક પાત્રોમાં નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે અને કેટલાક હજી પાછા ફર્યા નથી. જેમાં દયાબેન, મહેતા સાહબ, બાવરી, નટ્ટુ કાકા જેવા પાત્રોનો સમાવેશ થાય છે.